નાઈજીરીયામાં ગેરકાયદેસર ઓઈલ રિફાઈનરીમાં વિસ્ફોટ, 100થી વધુના મોત!
નાઈજીરિયામાં ગેરકાયદેસર ઓઈલ રિફાઈનરીમાં થયેલા વિસ્ફોટમાં 100થી વધુ લોકોના મોત થયા છે. શુક્રવારે એગ્બીમા સ્થિત વિસ્તારમાં બ્લાસ્ટ થયો હતો. એક ઉચ્ચ અધિકારીએ આ વિસ્ફોટમાં 100 લોકો માર્યા ગયા હોવાની પુષ્ટિ કરી છે.
અબુજા, 24 એપ્રિલ : નાઈજીરિયામાં ગેરકાયદેસર ઓઈલ રિફાઈનરીમાં થયેલા વિસ્ફોટમાં 100થી વધુ લોકોના મોત થયા છે. શુક્રવારે એગ્બીમા સ્થિત વિસ્તારમાં બ્લાસ્ટ થયો હતો. એક ઉચ્ચ અધિકારીએ આ વિસ્ફોટમાં 100 લોકો માર્યા ગયા હોવાની પુષ્ટિ કરી છે. પેટ્રોલિયમ સંસાધનોના કમિશ્નર ગુડલક ઓપિયાએ જણાવ્યું હતું કે ગેરકાયદેસર સ્થળ પર ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં 100 લોકો ખરાબ રીતે દાઝી ગયા હતા, જેની ઓળખ કરવી પણ મુશ્કેલ છે.

સરકારે આ પેટ્રોલ રિફાઈનરીના માલિકને પહેલા જ વોન્ટેડ જાહેર કર્યો હતો, જે ફરાર છે. ઈમો અને રિવર્સ એરિયાના જંગલમાં જોરદાર વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો, ત્યારબાદ આકાશ ધુમાડાથી ભરાઈ ગયું અને આ ધુમાડો આખા વિસ્તારમાં દેખાવા લાગ્યો.
સુપ્રીમ કાઉન્સિલ ઓફ ઓઈલ ગેસ પ્રોડ્યુસિંગ એરિયાના પ્રેસિડેન્ટ જનરલ કોલિન્સ ઈજીએ જણાવ્યું હતું કે ઈમો અને નદીઓ વચ્ચેના જંગલોમાં અચાનક વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. વિસ્ફોટ બાદ વિસ્તારમાં કાળો ધુમાડો દેખાતો હતો. આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે, આ એક એવી ઘટના છે જેની કોઈ કલ્પના પણ ન કરી શકે, લગભગ 108 લોકોના સળગેલા મૃતદેહો મળી આવ્યા છે. આવી ગેરકાયદેસર રિફાઇનરીઓને ઓળખવાની જવાબદારી વહીવટીતંત્રની છે. તમને જણાવી દઈએ કે આ વિસ્તારમાં અવારનવાર પાઈપલાઈન તોડીને તેલની ચોરી થતી હતી, જેના કારણે મોટું આર્થિક નુકસાન થતું હતું.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
