For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનમાં અલકાયદા ઇન્ડિયાના 5 આતંકીઓની ધરપકડ

|
Google Oneindia Gujarati News

ઇસ્લામાબાદ, 12 ડિસેમ્બર: પાકિસ્તાન પોલીસે નૌકાદળના પતન પર આતંકવાદી હુમલામાં કથિત રીતે સંલિપ્ત રહેલા નવગઠિત આતંકવાદી સંગઠન અલકાયદા ઇન્ડિયા (AQI)ના પાંચ આંતકવાદીઓની ધરપકડ કરવાનો દાવો કર્યો છે. પાકિસ્તાનના નૌકાદળના પતન પર આ આતંકવાદી હુમલો આ જ વર્ષે સપ્ટેમ્બરમાં થયો હતો.

pakistan
સમાચાર પત્ર 'ડૉન'ની વેબ આવૃત્તિ પર શુક્રવારે પ્રસારિત રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનના તપાસ વિભાગ (સીઆઇડી)ના અધિકારીઓએ આતંકવાદીઓને ગુરુવારે કરાચીમાં એક દરોડા દરમિયાન ધરપકડ કરી. શંકાશીલ આતંકવાદીઓના કબ્જાથી 10 કિલોગ્રામ વિસ્ફોટક સામગ્રી, બે રાઇફલ, ત્રણ પિસ્તોલ અને કેટલોક દારુ-ગોળો પણ મળી આવ્યો છે.

સીઆઇડીના એક અધિકારીએ જણાવ્યું કે કારી શાહિદ ઉસ્માન કરાચીમાં એક્યૂઆઇનો પ્રમુખ છે. પાકિસ્તાનમાં તેનો સાગરિત અસીમ ઉમેર છે. અધિકારીનો દાવો છે કે શંકાશીલ આતંકવાદીઓએ નૌકાદળના પતન પર આતંકવાદી હુમલાનું ષડયંત્ર રચ્યું અને તેને અંજામ આપ્યું.

English summary
Pakistan police claimed to have arrested five militants belonging to the newly formed Al Qaeda India (AQI) group.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X