'પાકમાં દરેક જણ ઈચ્છે છે મોદી હારી જાય', રાહુલ-મમતા-કેજરીવાલને મળ્યો પાકિસ્તાનના પૂર્વ મંત્રીનો સાથ
Lok Sabha Election 2024: ભારતમાં લોકસભાની ચૂંટણી અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. મતદાનના છ તબક્કા પૂર્ણ થયા છે. છેલ્લા તબક્કાનું મતદાન 1 જૂને થશે. આ વખતે ચૂંટણીમાં પાકિસ્તાની નેતાઓના નિવેદનો પણ સામે આવી રહ્યા છે. પાકિસ્તાનના પૂર્વ મંત્રી ફવાદ ચૌધરી હુસૈને ભારતની ચૂંટણી પર પોતાની પ્રતિક્રિયા આપી છે.
વાસ્તવમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે વિપક્ષી પાર્ટીના નેતાઓને પાકિસ્તાનના સમર્થક કહેવામાં આવે છે. પીએમ મોદીના નિવેદન પર પ્રતિક્રિયા આપતા ફવાદ ચૌધરીએ કહ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, મમતા બેનર્જીએ સાથે આવવું જોઈએ જેથી તેઓ કટ્ટરપંથીઓને હરાવી શકે.

આઈએનએસને આપેલા ઈન્ટરવ્યુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ ખૂબ જ ગંભીર મામલો છે, તેની તપાસ થવી જોઈએ. મને એ સમજાતું નથી કે અમારી સામે દુશ્મનાવટ ધરાવતા કેટલાક પસંદગીના લોકોને પાકિસ્તાનનું સમર્થન કેવી રીતે મળી રહ્યું છે. પાકિસ્તાનમાં કેટલાક લોકો તેના સમર્થનમાં અવાજ ઉઠાવવા લાગ્યા છે.
ફવાદે કહ્યું કે કાશ્મીર હોય કે ભારતના અન્ય ભાગો, અહીં મુસ્લિમો કટ્ટરવાદી વિચારધારાનો સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં નરેન્દ્ર મોદી ચૂંટણી હારે તે જરૂરી છે. પાકિસ્તાનમાં પણ દરેક ઈચ્છે છે કે નરેન્દ્ર મોદી આ ચૂંટણી હારી જાય. જો આમ થશે તો ભારત સાથે પાકિસ્તાનના સંબંધો સુધરશે. નરેન્દ્ર મોદીની હારથી પાકિસ્તાન અને ભારતમાં કટ્ટરવાદ ઘટશે. ફવાદ ચૌધરીએ કહ્યું કે પાકિસ્તાનમાં ભારત પ્રત્યે નફરત છે.
ભારતમાં ભાજપ અને આરએસએસ પાકિસ્તાન અને મુસ્લિમો પ્રત્યે નફરત પેદા કરી રહ્યા છે. આ વિચારધારાને હરાવવાની આપણી ફરજ છે. મને વિશ્વાસ છે કે ભારતના મતદારો મૂર્ખ નથી. જે કોઈ નરેન્દ્ર મોદીને હરાવે, પછી તે રાહુલ ગાંધી હોય, કેજરીવાલ હોય, મમતા બેનર્જી હોય, હું આ તમામ લોકોને શુભેચ્છા પાઠવું છું.
નોંધનીય છે કે ફવાદ ચૌધરીએ રાહુલ ગાંધીની તુલના જવાહરલાલ નેહરુ સાથે કરી હતી. રાહુલ ગાંધી જવાહરલાલ જેવા સમાજવાદી છે. રાહુલની પ્રશંસા કરતા તેમણે કહ્યું હતું કે તેઓ સમાજવાદી છે.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ










Click it and Unblock the Notifications
