For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનના પૂર્વ મંત્રીએ પણ ગાયો 'નમો-નમો'નો રાગ

|
Google Oneindia Gujarati News

ઇસ્લામાબાદ, 16 એપ્રિલ: હાલમાં દેશભરમાં ચૂંટણીનો મહોત્સવ ચાલે છે. જેમાં આખા દેશ દુનિયામાં ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. મોદી વિશેની ચર્ચાઓ અમેરિકામાંજ નહીં પરંતુ પાકિસ્તાનમાં પણ થવા લાગી છે.

પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી અને પાકિસ્તાન તહરીક એ ઇંસાફ પીટીઆઇના નેતા ખુર્શીદ મહમૂદ કસૂરીએ જણાવ્યું છે કે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી જો વડાપ્રધાન બની પણ ગયા તો તેઓ પાકિસ્તાન પ્રત્યે આક્રમક વલણ નહીં અપનાવે.

pak
પાકિસ્તાનના દૈનિક ધ ડોન અનુસાર કસૂરીએ જણાવ્યું કે જો નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે સત્તામાં આરુઢ થાય છે તો તેઓ પાકિસ્તાન પ્રત્યે આક્રમક વિદેશ નીતિ અપનાવશે નહીં. તેમની નીતિઓ ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી કરતા અલગ રહેશે. તેમણે સાથે સાથે એ પણ જણાવ્યું કે મોદીને ખબર છે કે પાકિસ્તાન એક પરમાણુ શક્તિ સંપન્ન દેશ છે. તેમણે કાશ્મીરના મુદ્દે જણાવ્યું કે કાશ્મીરનો જે વિવાદ બંને દેશો વચ્ચે ચાલી રહ્યો છે તેને વાતચીત દ્વારા જ ઉકેલી શકાય તેમ છે.

અત્રે નોંધનીય છે કે નરેન્દ્ર મોદી દેશમાંથી એકમાત્ર એવા મુખ્યમંત્રી છે જેમણે અમેરિકા સિવાય અન્ય દેશો જેવા કે જાપાન, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા જેવા દેશો સાથે પોતાના સંબંધો સારા રાખ્યા છે. અને વિશ્વમાં લોકચાહના મેળવી છે. પાકિસ્તાનના પૂર્વ મંત્રી દ્વારા નરેન્દ્ર મોદીના વખાણ કરવા એ મોદી માટે વડાપ્રધાન બનતા પહેલા જ ખૂબ જ મોટી બાબત છે.

English summary
Former Pakistani Minister phrase about Narendra Modi. If Modi become prime minister he will be not against Pakistan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X