બાંગ્લાદેશના હિંદુ મંદિરોમાં તોડફોડ, મા કાલીની સાત મૂર્તિઓ તોડી
બાંગ્લાદેશમાં હિંદુ અલ્પસંખ્યક સમુદાયોમાં ફરીથી ભયનો માહોલ. મંદિરોમાં તોડફોડ બાદ હિંદુઓમાં ડર...
બાંગ્લાદેશમાં વસેલ હિંદુ સમુદાય ફરીથી ડરના ઓછાયા હેઠળ જીવી રહ્યા છે. અહીં રવિવારે કેટલાક હિંદુ મંદિરોમાં તોડફોડ કરવામાં આવી હતી અને દેવી-દેવતાઓની મૂર્તિઓ તોડી દેવામાં આવી. દેવી કાલીની સાત મૂર્તિઓને નુકશાન પહોંચાડવામાં આવ્યુ છે. કેટલાક દિવસો પહેલા પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી જ્યારે 10 મંદિરો પર હુમલો કરવામાં આવ્યો હતો.

બાંગ્લાદેશના ઉત્તરી નેત્રકોના વિસ્તારમાં પહેલી ઘટના બની જ્યાં કેટલાક અજાણ્યા લોકોએ એક હિદુ મંદિરમાં તોડફોડ કરી. નેત્રકોના સદરના સિંગરબાંગ્લા સંઘના મૈમેન સિંહ રોહી ગામના લોકોએ રવિવારે મંદિરનો દરવાજો ખોલ્યો ત્યારે સમગ્ર ઘટના સામે આવી. બાંગ્લાદેશના અખબાર ઢાકા ટ્રિબ્યૂનની ખબર મુજબ મંદિરનો ઢાંચો તૂટેલો હતો. તૂટેલી મૂર્તિઓ મંદિરથી 600 મીટર દૂર પડી હતી. ઘટના બાદ પોલિસને સૂચિત કરવામાં આવ્યા. નેત્રકોના સદરના પોલિસ સ્ટેશન પ્રભારી શાહ્નૂર-એ-આલમે જણાવ્યુ કે પોલિસે ઘટના સ્થળની મુલાકાત લીધી અને તોડફોડના પુરાવા ભેગા કર્યા. પોલિસે દોષિતો પર કાર્યવાહીની વાત કહી છે.
ઓક્ટોબરમાં પણ બની હતી ઘટના
ઓક્ટોબર મહિનાના છેલ્લા સપ્તાહમાં હિંદુઓના છ ઘરોને આગ લગાવી દેવામાં આવી હતી. આ દરમિયાન નરસિંહનગરના બ્રહમાણબારિયામાં 15 મંદિરો અને 20 થી વધુ ઘરોમાં તોડફોડ કરવામાં આવી હતી. આ ઘટનાને ફેસબુકની એ પોસ્ટ બાદ અંજામ આપવામાં આવ્યો હતો જેમાં ઇસ્લામ આક્રમક હોવાની વાત કહેવામાં આવી હતી. આ ઘટનામાં એક સાઇબર કાફેના માલિકની ધરપકડ કરવામાં આવી હતી. કહેવામાં આવે છે કે તેણે જ હિંદુ મંદિરો અને ઘરો પર હુમલાનું કાવતરુ રચ્યુ હતુ. બાંગ્લાદેશના માનવાધિકાર સંગઠનનું કહેવુ છે કે અહીં ઘણા હિંદુ મંદિરો પર હુમલા થઇ રહ્યા છે અને આ બધા સુનિયોજિત હુમલા છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ








Click it and Unblock the Notifications
