'હું બહુ દુખી છુ, થઇ રહ્યો છે પસ્તાવો..' પાકિસ્તાન ગયેલી અંજુ કેમ થઇ રહી છે હેરાન
ભારતની અંજુ પાકિસ્તાન જઈને ઈસ્લામ કબૂલ કરીને અને તેના મિત્ર નસરુલ્લા સાથે લગ્ન કરી લીધા હતા. હવે ત્યાં મુશ્કેલીનો સામનો કરી રહી છે. ભારતના રાજસ્થાનમાં રહેતી અંજુ જુલાઈમાં તેના બાળકો અને પતિને ખોટું બોલીને વિઝા મેળવવા પાકિસ્તાન ગઈ હતી. પરંતુ હવે તેણે કહ્યું છે કે તે પાકિસ્તાનમાં દુખી છે.
અંજુએ કહ્યું કે તે ખૂબ જ દુઃખી છે, તેને અફસોસ છે કે તેના કારણે ભારતમાં તેના પરિવારને ખૂબ જ હેરાન કરવામાં આવી રહ્યા છે. અંજુ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાથી તેના ફેસબુક ફ્રેન્ડ નસરુલ્લાને મળવા ગઈ હતી પરંતુ થોડા દિવસો પછી તેણે ઈસ્લામ કબૂલ કરી તેની સાથે લગ્ન કરી લીધા હતા.

બીબીસીના એક રિપોર્ટ અનુસાર અંજુએ કહ્યું, "પાકિસ્તાનમાં દરેક વસ્તુ ખૂબ જ સકારાત્મક છે. હું બીજા કોઈ પ્લાનિંગ સાથે અહીં આવી છું. પરંતુ મેં જે વિચાર્યું તેના બદલે કંઈક બીજું થયું. હું માનું છું કે મારાથી પણ કેટલીક ભૂલ થઈ છે. કારણ કે પાકિસ્તાનમાં જે કંઈ પણ થયું છે, ભારતમાં મારા પરિવારને ખૂબ જ પરેશાની અને અપમાન થયું છે.
અંજુએ કહ્યું, "ભારતમાં મારા પરિવાર સાથે જે કંઈ પણ થયું તે મારી ભૂલ છે. આજે મારા કારણે મારા પરિવારના સભ્યો ખૂબ જ દુઃખી છે. જેના કારણે હું પણ ખૂબ દુખી છું. એક વસ્તુ જે મને પરેશાન કરે છે તે એ છે કે મારા બાળકો મારા વિશે શું વિચારતા હશે. મને હવે ક્યાંક ને ક્યાંક પસ્તાવો થાય છે.
અંજુએ કહ્યું, "હવે હું કોઈપણ રીતે ભારત જવા માંગુ છું. હું માત્ર શક્ય તેટલી વહેલી તકે ભારત પહોંચીને મારા પરિવારને મળવા માંગુ છું. હું ત્યાં જઈશ અને દરેક વસ્તુનો સામનો કરીશ. મારી પાસે મારા પરિવારના સભ્યોના પ્રશ્નોના જવાબ છે.
હું તેમને કહેવા માંગુ છું કે મારી સાથે કોઈ જબરદસ્તી કરવામાં આવી નથી. મેં જે પણ કર્યું તે મારો નિર્ણય હતો. હવે હું મીડિયાના દબાણને કારણે ભારત પાછો જઈ શકતી નથી. મારે મારા બાળકોને મળવું છે.












Click it and Unblock the Notifications
