ટ્રમ્પે અફઘાનિસ્તાનની સ્થિતિ માટે જો બાઈડનને જવાબદાર ઠેરવ્યા, હું રાષ્ટ્રપતિ હોત તો સ્થિતિ જુદી હોત!
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અફઘાનિસ્તાનની હાલની સ્થિતિ માટે વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઈડનને જવાબદાર ઠેરવ્યા છે.
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અફઘાનિસ્તાનની હાલની સ્થિતિ માટે વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઈડનને જવાબદાર ઠેરવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમેરિકા જ્યારે અફઘાનિસ્તાનથી ખસી રહ્યું હતું ત્યારે જો બાઈડને કોઈ શરતો મૂકી ન હતી, જેના કારણે તાલિબાનોએ ત્યાં આતંક પેદા કર્યો છે. ટ્રમ્પે કહ્યું કે જો બાઈડને અફઘાનિસ્તાન છોડવાની તારીખ 31 ઓગસ્ટ નક્કી કરી હતી. પરંતુ જો હું રાષ્ટ્રપતિ હોત તો આ ડીલ અલગ અને વધુ સફળ હોત. તમને જણાવી દઈએ કે વર્ષ 2020 માં અમેરિકાએ નો દોહામાં તાલિબાન સાથે ડીલ કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પ તે સમયે અમેરિકાના રાષ્ટ્રપતિ હતા. જે બાદ અમેરિકાએ મે 2021 માં ત્યાંથી પોતાના સૈનિકોને પાછા ખેંચી લીધા હતા. આ વર્ષે જો બાઈડને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળ્યો ત્યારે તેમણે હજુ પણ તાલિબાન સાથે કોઈ સંધી કરી નથી.
ડોનાલ્ડ ટ્રમ્પે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે 'જો હું રાષ્ટ્રપતિ હોત, તો દુનિયા જોતી કે આપણે ત્યાંથી કેવી રીતે નીકળ્યા હોત, તે શરતોને આધિન હોત. ટ્રમ્પે દાવો કર્યો હતો કે 'મેં વ્યક્તિગત રીતે તાલિબાનના ટોચના નેતાઓ સાથે વાત કરી હતી, ત્યારે તે સમજી ગયા હતા કે તે કરી રહ્યા છે તે સહન યોગ્ય નથી. જો હું હોત તો તાલિબાન સાથે અલગ રીતે સંધી કરવામાં આવી હોત. બીજી તરફ યુએસ તરફથી કહેવામાં આવ્યું છે કે યુએસ લશ્કરી નેતૃત્વની કલ્પના કરતાં અફઘાન સેના તાલિબાન સામે વધુ ઝડપથી યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં હારી રહ્યી છે. બીજી તરફ તેને રોકવા માટે વ્હાઇટ હાઉસ, પેન્ટાગોન અથવા અમેરિકન જનતામાં બહુ ઉત્સાહ નથી અને હવે કંઈપણ કરવામાં મોડું થઈ શકે છે.
યુએસ પ્રમુખ જો બાઈડને અફઘાનિસ્તાનમાંથી પોતાના સૈનિકોને સંપૂર્ણ રીતે પાછા ખેંચી લેવાની જાહેરાત કર્યા બાદ દેશની સ્થિતિ દરરોજ વધુ ખરાબ થઈ રહી છે. બાઈડને સ્પષ્ટ કર્યું છે કે લીધેલા નિર્ણયને બદલવાનો કોઈ ઈરાદો નથી, જ્યારે પરિણામો તાલિબાનના કબજા તરફ ઈશારો કરે છે. મોટાભાગના અમેરિકન સૈનિકો અફઘાનિસ્તાનમાંથી ખસી ગયા છે અને તાલિબાને હુમલાઓ વધાર્યા છે પરંતુ અમેરિકા તેને રોકવા માટે કોઈ પ્રયાસ કરી રહ્યું નથી. 1996 થી 9/11 ના હુમલા સુધી અફઘાનિસ્તાન પર શાસન કરનાર તાલિબાને બુધવારે વધુ ત્રણ પ્રાંતની રાજધાનીઓ અને ગુરુવારે બીજી એક રાજધાની કબજે કરી હતી. દેશના લગભગ ત્રીજા ભાગ પર તાલીબાને કબ્જો મળવ્યો છે.
વિદ્રોહીઓ પાસે પાસે કોઈ હવાઈ સેના નથી અને સંખ્યા યુએસ પ્રશિક્ષિત અફઘાન સેના ઓછી છે. જો કે તો પણ તે ઝડપથી કબજો વધારી રહ્યા છે. પેન્ટાગોનના મુખ્ય પ્રવક્તા જોન કિર્બીએ કહ્યું કે અફઘાનિસ્તાન પાસે હજુ પણ અંતિમ હારથી પોતાને બચાવવાનો સમય છે. કિર્બીએ પત્રકારોને કહ્યું, કાબુલના પતન સહિત કોઈપણ સંભવિત પરિણામ અનિવાર્ય હોવું જોઈએ નહીં. તે ન થવું જોઈએ. તે ખરેખર તેના પર નિર્ભર કરે છે કે અફઘાનિસ્તાન તેને બદલવા માટે કયા પ્રકારનું રાજકીય અને લશ્કરી નેતૃત્વ એકત્ર કરી શકે છે. બાઈડને એક દિવસ પહેલા પત્રકારોને એમ પણ કહ્યું હતું કે અમેરિકી સૈનિકોએ છેલ્લા 20 વર્ષમાં અફઘાનિસ્તાનને મદદ કરવા માટે શક્ય તેટલું બધું કર્યું છે.
વધુમાં તેણે કહ્યું હતું કે, તેમને પોતાના માટે, પોતાના દેશ માટે લડવું પડશે. અમેરિકા મર્યાદિત હવાઈ હુમલા સાથે અફઘાન સૈન્યને ટેકો આપી રહ્યું છે, પરંતુ આનાથી અત્યાર સુધી કોઈ વ્યૂહાત્મક પરિવર્તન જોવા મળ્યું નથી. 31 ઓગસ્ટે યુએસએ યુદ્ધમાં તેની ભૂમિકા ઔપચારિક રીતે સમાપ્ત કરી મર્યાદિત હવાઈ હુમલા પણ બંધ કરી શકે છે. શક્ય છે કે બાઈડન હવાઈ હુમલા ચાલુ રાખે, પરંતુ યુદ્ધને સમાપ્ત કરવા માટે તેમના મજબૂત વલણને જોતા આ અસંભવિત લાગે છે.
વોશિંગ્ટનના એક રક્ષા અધિકારી અનુસાર, તાજેતરના લશ્કરી મૂલ્યાંકન સૂચવે છે કે કાબુલ સપ્ટેમ્બર સુધીમાં બળવાખોરોના હાથમાં આવી શકે છે અને તાલિબાનની ઝડપ વચ્ચે તાલિબાન થોડા મહિનાઓમાં સમગ્ર અફઘાનિસ્તાન પર કબજો જમાવી લેશે. પેન્ટાગોનના પ્રેસ સેક્રેટરી જોન કિર્બીએ જાહેરાત કરી હતી કે અમેરિકી સંરક્ષણ વિભાગ કાબુલથી દૂતાવાસના કર્મચારીઓને બહાર કાઢવા માટે અફઘાનિસ્તાનમાં સૈનિકો મોકલશે. મીડિયા બ્રીફિંગમાં કિર્બીએ કહ્યું કે, આગામી 24 થી 48 કલાકમાં ત્રણ સેનાની બટાલિયન કાબુલ એરપોર્ટ પર મોકલવામાં આવશે. જેમાં લગભગ 3000 હજાર સૈનિકો હશે.