ઈમરાન ખાને ભારતની કરી પ્રશંસા, કહ્યુ - કોઈ સુપરપાવર ભારતને ડિક્ટેટ ન કરી શકે
પાક પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારત તરફ ઈશારો કરીને કહ્યુ કે કોઈ પણ મહાશક્તિ તેમને ડિક્ટેટ નથી કરી શકતી.
નવી દિલ્લીઃ પાકિસ્તાનના લોકોને દેશની સંપ્રભુતાની રક્ષા કરવાનુ આહ્વાન કરીને પાક પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારત તરફ ઈશારો કરીને કહ્યુ કે કોઈ પણ મહાશક્તિ તેમને ડિક્ટેટ ન કરી શકે. ઈમરાન ખાને કહ્યુ કે તેમાંથી કોઈમાં ભારત સાથે આ રીતે વાત કરવાની હિંમત નથી. તમને જણાવી દઈએ કે પાક પીએમ ઈમરાનની સરકાર જોખમમાં છે અને તેમણે પોતાની સરકાર પાડવા પાછળ અમેરિકી ષડયંત્ર ગણાવ્યુ હતુ. તેમણે સનસનીખેજ દાવો કરીને કહ્યુ કે વિદેશી તાકાતો તેમની સરકારના પાડવાની કોશિશ કરી રહી છે કારણે તે એક મિલનસાર વ્યક્તિ ઈચ્છે છે.

પાક પીએમે વિપક્ષ પર કાનૂની બાબતોમાંથી બહાર નીકળવા માટે તેમની સાથે હાથ મિલાવવાનો પણ આરોપ લગાવ્યો. ઈમરાન ખાને કહ્યુ કે અમને જાણવા મળ્યુ છે કે અમેરિકા રાજનાયિક અમારા લોકોને મળી રહ્યા છે. ત્યારે અમને આખી યોજના વિશે જાણવા મળ્યુ. તેમણે કહ્યુ કે તે રાષ્ટ્રીય સુરક્ષા ચિંતાઓના કારણે બધા વિવરણ સાર્વજનિક રીતે જાહેર કરવા માટે સ્વતંત્ર નથી. આજે સવારે તેમની સામે મહત્વપૂર્ણ અવિશ્વાસ પ્રસ્તાવ પહેલા મોડી રાતે રાષ્ટ્રના નામે પોતાના સંબોધનમાં તેમણે તેમને ખરીદ-વેચાણમાં શામેલ થવા માટે વિપક્ષ પર નિશાન સાધીને કહ્યુ કે રાજનેતાઓને ઘેટાઓની જેમ ખરીદવામાં અને વેચવામાં આવી રહ્યા છે.
પીએમ ઈમરાન ખાને કહ્યુ કે લોકોએ રવિવારે રસ્તા પર ઉતરવુ જોઈએ અને એક 'Imported government' સામે શાંતિપૂર્વક વિરોધ કરવો જોઈએ. રાજનેતાઓના કથિત ભ્રષ્ટાચાર વિશે તેમણે કહ્યુ, દુનિયામાં બીજે ક્યાંય નથી. પીએમ ઈમરાન ખાને કહ્યુ કે વિદેશી તાકાતો એક મિલનસાર પીએમ ઈચ્છે છે અને એટલા માટે તેમને બહાર કાઢવાની કોશિશ કરી રહી છે. તેમણે રાજકીય સ્થિતિને પાકિસ્તાનની સંપ્રભુતા પર હુમલો ગણાવ્યો છે. તેમણે કહ્યુ કે અમે 22 કરોડ લોકો છીએ. આ અપમાનજનક છે કે કોઈ બહારથી 22 કરોડ લોકોને આ આદેશ આપી રહ્યા છે.












Click it and Unblock the Notifications
