પાકિસ્તાને ખોટું પગલું ભર્યું તો પરિણામ ભયંકર હશે, ભારતની ચેતવણી
ભારતે પાકિસ્તાનના નેતાઓના યુદ્ધ ભડકાવતા તાજેતરના નિવેદનો પર કડક પ્રતિક્રિયા આપી છે.
ભારતે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો પાકિસ્તાન કોઈપણ પ્રકારની ખોટી હરકત કરશે તો તેના પરિણામો અત્યંત ગંભીર અને પીડાદાયક હશે. ભારતે પાકિસ્તાની નેતાઓને તેમની વાણી પર સંયમ રાખવા પણ જણાવ્યું છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ગુરુવારે યોજાયેલી સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, પાકિસ્તાનના નેતાઓ સતત ગેરજવાબદાર, યુદ્ધ ભડકાવનારા અને નફરત ફેલાવનારા નિવેદનો આપી રહ્યા છે.
તેમણે આ નિવેદનોને ઇસ્લામાબાદની જૂની યુક્તિ ગણાવી છે, જેનો ઉદ્દેશ્ય ભારત વિરુદ્ધ નફરત ફેલાવવાનો અને પોતાની નિષ્ફળતાઓ પરથી લોકોનું ધ્યાન ભટકાવવાનો છે.
રણધીર જયસ્વાલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, પાકિસ્તાની નેતૃત્વ તરફથી સતત બેજવાબદાર, યુદ્ધોન્માદી અને નફરત ફેલાવનારી ટિપ્પણીઓ આવી રહી છે. પાકિસ્તાને પોતાની જીભ પર લગામ રાખવી જોઈએ, કારણ કે કોઈ પણ ખોટું પગલું તાજેતરના ઉદાહરણોની જેમ જ પીડાદાયક પરિણામ લાવશે.
છેલ્લા 48 કલાકમાં સિંધુ જળ સંધિના સસ્પેન્શનને લઈને પાકિસ્તાનના ત્રણ મોટા નેતાઓ - વડાપ્રધાન શહબાઝ શરીફ, ભૂતપૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો અને આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે ભારત વિરૂદ્ધ ધમકીભર્યા નિવેદનો આપવામાં આવ્યા છે, જેના કારણે બંને દેશો વચ્ચે તણાવ વધુ વધી ગયો છે.
નોંધનીય છે કે આ તણાવ એવા સમયે વધ્યો છે જ્યારે તાજેતરમાં ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ 7 મેના રોજ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકી ઠેકાણાઓ પર કાર્યવાહી શરૂ કરી હતી. 4 દિવસ સુધી ડ્રોન અને મિસાઈલ હુમલાઓ બાદ બંને દેશો 10 મેના રોજ સંઘર્ષવિરામ માટે સંમત થયા હતા.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
