Video : દુબઈ એર શોમાં ભારતીય તેજસ વિમાન ક્રેશ, ખૌફનાક વીડિયો જોઈને હલી જશો
દુબઈ એર શો દરમિયાન એક પ્રદર્શન ઉડાન ભરતી વખતે એક ભારતીય HAL તેજસ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ ઘટના સ્થાનિક સમય મુજબ બપોરે લગભગ 2:10 વાગ્યે બની હતી. આ અકસ્માત બાદ એરપોર્ટ ઉપર કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેને કારણે ત્યાં હાજર દર્શકો, જેમાં મહિલાઓ અને બાળકો પણ શામેલ હતા, તેઓ ભયભીત થઈ ગયા.

આ ઘટનાથી એર શોમાં ઉપસ્થિત સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા છે અને સુરક્ષા પ્રોટોકોલ પર ગંભીર સવાલો ઉભા થયા છે. ભારતીય વાયુસેના (IAF) ના પાયલટનું આ દુર્ઘટનામાં અવસાન થયું, જેનાથી દેશભરમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
IAF એ આ જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને શહીદ પાયલટના શોકગ્રસ્ત પરિવાર સાથે ખભેખભો મિલાવીને ઊભી છે.
વાયુસેનાએ દુર્ઘટનાના કારણોની તપાસ કરવા માટે તાત્કાલિક કોર્ટ ઓફ ઇન્ક્વાયરી (Court of Inquiry) નો આદેશ આપ્યો છે. આ ઘટના ભારતીય વાયુસેના માટે એક અપુરણીય ક્ષતિ છે અને સમગ્ર દેશ આ વીર સપૂતના બલિદાનને નમન કરે છે.
વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાત પર આવી શકે છે આફતદુબઈ એર શોમાં તેજસ વિમાનનો આ ક્રેશ બીજી મોટી ઘટના છે. આ પહેલાં 2024 માં રાજસ્થાનના પોખરણ ખાતે એક યુદ્ધાભ્યાસ દરમિયાન એન્જિન ફેઇલ થવાને કારણે અન્ય એક તેજસ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ બંને ઘટનાઓ ભારતીય વાયુસેનાના હળવા લડાકુ વિમાન તેજસની સુરક્ષા અને વિશ્વસનીયતા પર ગંભીર પ્રશ્નાર્થ ઊભા કરે છે.
આ દુર્ઘટનાઓની વિસ્તૃત તપાસ આવશ્યક છે, જેથી વિમાનની ડિઝાઇન, જાળવણી અથવા ઓપરેશનલ પ્રોટોકોલમાં સંભવિત ખામીઓ શોધી શકાય અને ભવિષ્યમાં આવી ઘટનાઓ બનતી અટકાવી શકાય.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?









Click it and Unblock the Notifications
