મૌતનો બદલો લેવા ગુસ્સામાં આવેલી ભીડે 300 મગરો કત્લેઆમ કરી
ઇન્ડોનેશિયામાં ગુસ્સામાં આવેલી ભીડે 300 મગરમચ્છની કત્લેઆમ કરી નાખી છે. આ ભીડ એક વ્યક્તિની મૌતથી દુઃખી હતું, જે મગરોનો શિકાર બન્યો હતો.
ઇન્ડોનેશિયામાં ગુસ્સામાં આવેલી ભીડે 300 મગરમચ્છની કત્લેઆમ કરી નાખી છે. આ ભીડ એક વ્યક્તિની મૌતથી દુઃખી હતું, જે મગરોનો શિકાર બન્યો હતો. એટલા માટે બદલો લેવા માટે ભીડે મગરોની કત્લેઆમ કરી નાખી. આખા મામલાને રોકવામાં નિષ્ફળ રહેલી પોલીસ હવે આ મામલે તપાસ કરી રહી છે. પોલીસ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે આ મામલે અપરાધિક ધારા પણ લગાવવામાં આવી શકે છે.
ઇન્ડોનેશિયાના પાપુઆ પ્રાંતમાં એક વ્યક્તિની હત્યાથી ગુસ્સામાં આવેલી ભીડે 300 મગરમચ્છની કત્લેઆમ કરી નાખી છે. પાપુઆ પ્રાંતમાં 48 વર્ષનો સુગિતો પોતાના પશુઓ માટે ઘાસ લેવા માટે ગયો હતો. ત્યારે તે મગરોના બાડામાં પડી ગયો અને તેમનો શિકાર બન્યો. સુગિતો ની મૌતથી પરિવારના લોકો અને સ્થાનીય નિવાસીઓ ખુબ જ ગુસ્સામાં હતા. મગરોનું આ ફાર્મ સ્થાનીય વિસ્તારથી ઘણું નજીક હોવાને કારણે લોકો તેનો વિરોધ કરવા માટે પોલીસ સ્ટેશને પહોંચ્યા.
સ્થાનીય સંરક્ષણ એજન્સી પ્રમુખ ઘ્વારા જણાવવામાં આવ્યું કે ફાર્મ તેમને વળતળ આપવા માટે તૈયાર છે. પરંતુ લોકોનો ગુસ્સો તેનાથી શાંત થયો નહીં. ભીડ મોટી સંખ્યામાં ચપ્પુ અને ખુરપા લઈને મગરોના ફાર્મ પહોંચી ગયી. બદલો લેવા માટે ભીડે 4 ઇંચના મગરોના બચ્ચાંથી લઈને 2 મીટરના મગરોને કાપી નાખ્યા. ભીડ એટલી મોટી સંખ્યામાં હતી કે પોલીસ પણ તેને રોકી શકી નહીં. પોલીસ ચીફ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ તેની તપાસ કરી રહ્યા છે.