ફ્લોરેન્સમાં કબરનું ખોદકામ ખોલશે 'મોના લિસા'નો રાઝ?
ફ્લોરેન્સ, 12 ઓગસ્ટ : ઇટાલીના શહેર ફ્લોરેન્સમાં વિજ્ઞાનીઓએ એક કબરનું ખોદકામ કર્યું છે. આ ખોદકામ પૂર્ણ થયા બાદ 'મોના લિસા'ના રાઝ પરથી પરદો ઉઠી શકે છે. વિજ્ઞાનીઓને આશા છે કે આ કબરમાંથી મશહૂર ચિત્રકાર લિયોનાર્દો દ વિંચીની કૃતિ 'મોના લિસા'ની પ્રેરણા રહેલી વ્યક્તિના ડીએનએ મળી શકે છે.

કોની કબર?
આ કબર લિસા ગેરાર્દિની પરિવાર સાથે સંબંધ ધરાવે છે. લિસા એક સિલ્ક એટલે કે રેશમના વેપારીની પત્ની હતી. માનવામાં આવે છે કે તેમનું સૌંદર્ય જોઇને જ લિયોનાર્દો દ વિંચીને મશહૂર ચિત્ર તૈયાર કરવાની પ્રેરણા મળી હતી.

પહેલી કેવી રીતે ઉકેલાશે?
વિજ્ઞાનીઓને આશા છે કે કબરમાંથી મળનારા ડીએનએના નમૂનાની મદદથી ગયા વર્ષે એક આશ્રમમાં મળેલા ત્રણ હાડપિંજરોની ઓળખ કરવામાં મદદ મળશે. આ આશ્રમ આ કબરની નજીકમાં જ આવેલો છે. મશહૂર તસવીર 'મોના લિસા'માં જોવા મળેલી મહિલા સદીયોથી વિજ્ઞાનીઓ અને કલા વિશેષજ્ઞો માટે એક પહેલી બની રહી છે.

ડીએનએ મેળવવા પ્રયાસ
ડીએનએ પ્રાપ્ત કરવા માટે વિજ્ઞાનીઓએ સિલ્કના વેપારી ફ્રાંસિસ્કો ડેલ જિયોકોન્ડોના પરિવારના શબ દફન કક્ષની ઉપર ચર્ચના ભોંયતળિયામાં એક ગોળાકાર કાણું પાડ્યું છે.

ડીએનએ મળ્યા બાદ શું?
લેખક અને સંશોધનકર્તા સિલ્વાનો વિંસેટી આ ડીએનએની તુલના સંત ઉરજુલાના આશ્રમ પાસે દફનાવવામાં આવેલી મહિલાઓના હાડકાં સાથે કરવા માંગે છે. અહીં જ નન લિસા ગેરાર્દિનીનું ઇ:સ 1552માં મોત થયું હતું.

દીકરાની શોધ પણ ચલાવાશે
આશા છે કે જો કબરમાંથી મળનારા ડીએનએ અને ગયા વર્ષે મળેલા હાડપિંજર વચ્ચે સરખામણી કરવામાં આવશે તો તેમાંથી કોઇ સંબંધી સાથે તે જરૂરથી મેળ ખાશે. આ દ્વારા એક પછી એક કડીઓ જોડતા તેમના દિકરા પિયારો સાથે પણ તે મેચ કરી શકાશે. આમ તેમના દીકરા સુધીની શોધ ચલાવાશે.

ડીએનએ મેચ થાય તો શું?
સિલ્વાનો વિંસેટીનું કહેવું છે કે જો એક વાર ડીએનએ મેચ થઇ જશે તો અમારા માટે આ મોટી સિદ્ધિ હશે. ત્યાર બાદ અમે લિસા ગેરાર્દિનીના ચહેરાની છબી ખોપડીના આધારે તૈયાર કરવામાં આવશે અને તેની તુલના લિયોનાર્દો દ વિંચીના મશહૂર પેઇન્ટિંગ સાથે કરવામાં આવશે.

પેઇન્ટિંગમાં શું ખાસ?
કલા વિશ્લેષકો અને નિષ્ણાતોનું માનવું છે કે વિંચીના 'મોના લિસા' પેઇન્ટિંગમાં જે સ્ત્રી છે તેના મંદ હાસ્યમાં અનેક અદાઓ છૂપાયેલી છે. આ હાસ્ય જ ચિત્રનું મુખ્ય આકર્ષણ છે. આ એક ચિત્ર તૈયાર કરતા લિયોનાર્દો દ વિંચીને અંદાજે 15 વર્ષનો સમય લાગ્યો હતો.

અત્યારે 'મોના લિસા' ચિત્ર ક્યાં છે?
ચિત્રકાર લિયોનાર્દોના મૃત્યુ બાદ આ ચિત્ર ફ્રાન્સના રાજા પાસે આવ્યું હતું. આ ચિત્ર વર્તમાન સમયમાં પેરિસના લ્રૂવ મ્યુઝિયમની શોભા વધારે રહ્યું છે.

રાઝ બહાર આવવામાં સમય
વિજ્ઞાનીઓ સકારાત્મક છે જો કે સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થતા ઘણો સમય લાગે એમ છે અને આમ સિક્રેટ બહાર આવતા ઘણો સમય લાગશે.

હાસ્ય આવશે ખરું?
વિજ્ઞાનીઓ આશાવાદી છે, જો કે આટલા લાંબા સમયની મહેનત બાદ પણ વિજ્ઞાનીઓના ચહેરા પર સફળતાનું હાસ્ય આવવું મુશ્કેલ છે.
કોની કબર
આ કબર લિસા ગેરાર્દિની પરિવાર સાથે સંબંધ ધરાવે છે. લિસા એક સિલ્ક એટલે કે રેશમના વેપારીની પત્ની હતી. માનવામાં આવે છે કે તેમનું સૌંદર્ય જોઇને જ લિયોનાર્દો દ વિંચીને મશહૂર ચિત્ર તૈયાર કરવાની પ્રેરણા મળી હતી.
પહેલી કેવી રીતે ઉકેલાશે?
વિજ્ઞાનીઓને આશા છે કે કબરમાંથી મળનારા ડીએનએના નમૂનાની મદદથી ગયા વર્ષે એક આશ્રમમાં મળેલા ત્રણ હાડપિંજરોની ઓળખ કરવામાં મદદ મળશે. આ આશ્રમ આ કબરની નજીકમાં જ આવેલો છે. મશહૂર તસવીર 'મોના લિસા'માં જોવા મળેલી મહિલા સદીયોથી વિજ્ઞાનીઓ અને કલા વિશેષજ્ઞો માટે એક પહેલી બની રહી છે.
ડીએનએ મેળવવા પ્રયાસ
ડીએનએ પ્રાપ્ત કરવા માટે વિજ્ઞાનીઓએ સિલ્કના વેપારી ફ્રાંસિસ્કો ડેલ જિયોકોન્ડોના પરિવારના શબ દફન કક્ષની ઉપર ચર્ચના ભોંયતળિયામાં એક ગોળાકાર કાણું પાડ્યું છે.
ડીએનએ મળ્યા બાદ શું?
લેખક અને સંશોધનકર્તા સિલ્વાનો વિંસેટી આ ડીએનએની તુલના સંત ઉરજુલાના આશ્રમ પાસે દફનાવવામાં આવેલી મહિલાઓના હાડકાં સાથે કરવા માંગે છે. અહીં જ નન લિસા ગેરાર્દિનીનું ઇ:સ 1552માં મોત થયું હતું.
દીકરાની શોધ પણ ચલાવાશે
આશા છે કે જો કબરમાંથી મળનારા ડીએનએ અને ગયા વર્ષે મળેલા હાડપિંજર વચ્ચે સરખામણી કરવામાં આવશે તો તેમાંથી કોઇ સંબંધી સાથે તે જરૂરથી મેળ ખાશે. આ દ્વારા એક પછી એક કડીઓ જોડતા તેમના દિકરા પિયારો સાથે પણ તે મેચ કરી શકાશે. આમ તેમના દીકરા સુધીની શોધ ચલાવાશે.
ડીએનએ મેચ થાય તો શું?
સિલ્વાનો વિંસેટીનું કહેવું છે કે જો એક વાર ડીએનએ મેચ થઇ જશે તો અમારા માટે આ મોટી સિદ્ધિ હશે. ત્યાર બાદ અમે લિસા ગેરાર્દિનીના ચહેરાની છબી ખોપડીના આધારે તૈયાર કરવામાં આવશે અને તેની તુલના લિયોનાર્દો દ વિંચીના મશહૂર પેઇન્ટિંગ સાથે કરવામાં આવશે.
પેઇન્ટિંગમાં શું ખાસ?
કલા વિશ્લેષકો અને નિષ્ણાતોનું માનવું છે કે વિંચીના 'મોના લિસા' પેઇન્ટિંગમાં જે સ્ત્રી છે તેના મંદ હાસ્યમાં અનેક અદાઓ છૂપાયેલી છે. આ હાસ્ય જ ચિત્રનું મુખ્ય આકર્ષણ છે. આ એક ચિત્ર તૈયાર કરતા લિયોનાર્દો દ વિંચીને અંદાજે 15 વર્ષનો સમય લાગ્યો હતો.
અત્યારે 'મોના લિસા' ચિત્ર ક્યાં છે?
ચિત્રકાર લિયોનાર્દોના મૃત્યુ બાદ આ ચિત્ર ફ્રાન્સના રાજા પાસે આવ્યું હતું. આ ચિત્ર વર્તમાન સમયમાં પેરિસના લ્રૂવ મ્યુઝિયમની શોભા વધારે રહ્યું છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
