ISIS એ લીધી શ્રીલંકાના ચર્ચ અને હોટલોમાં થયેલા આત્મઘાતી હુમલાની જવાબદારી
શ્રીલંકાની રાજધાની કોલંબોમાં રવિવારે થયેલા બ્લાસ્ટ્સની જવાબદારી આતંકી સંગઠન ISIS એ લીધી છે.
શ્રીલંકાની રાજધાની કોલંબોમાં રવિવારે થયેલા બ્લાસ્ટ્સની જવાબદારી આતંકી સંગઠન ISIS એ લીધી છે. આ હુમલામાં 300થી વધુ લોકોના મોત નીપજ્યા છે. અત્યાર સુધી હુમલા પાછળ શ્રીલંકાના સંગઠન નેશનલ તોહીદ જમાત (એનટીજે)ને સરકાર તરફથી જવાબદાર ગણવામાં આવતુ હતુ. આઈએસની પ્રોપાગાંડા એજન્સી અમાક તરફથી નિવેદન જાહેર કરીને મંગળવારે હુમલાની જવાબદારી લેવામાં આવી છે. અમાકે પોતાના નિવેદનમાં કહ્યુ છે કે સંગઠન એ દેશોના નાગરિકોને નિશાન બનાવી રહ્યુ હતુ જે તેના પર હુમલા માટે જવાબદાર છે. સાથે જ નિશાના પર ક્રિશ્ચિયન્સ પણ છે.

અમેરિકી સમર્થક દેશોના નાગરિક નિશાના પર
અમાકે નિવેદનમાં કહ્યુ છે, 'સુરક્ષા સૂત્રો તરફથી અમાક એજન્સીને જણાવવામાં આવ્યુ હતુ કે હુમલાખોર અમેરિકી આગેવાનીવાળા દેશોના નાગરિકોને નિશાન બનાવવા અને શ્રીલંકાના ક્રિશ્ચિયન્સને નિશાન બનાવનાર સૈનિક ISISના હતા.' નિવેદનમાં આગળ કંઈ પણ કહેવામાં આવ્યુ નથી. મંગળવારે જ શ્રીલંકાના ઉપ-રક્ષામંત્રીએ જણાવ્યુ છે કે ઈસ્ટર સન્ડે પર થયેલા ધમાકાને ક્રાઈસ્ટ ચર્ચ હુમલાની પ્રતિક્રિયા ગણવામાં આવી છે. વળી, બીજી તરફ ભારતીય ઈન્ટેલીજન્સ એજન્સીઓ સાથે જોડાયેલા સૂત્રો તરફથી કહેવામાં આવ્યુ છે કે કોલંબોમાં ધમાકાને એકદમ આઈએસના આતંકીઓના અંદાજમાં અંજામ આપવામાં આવ્યો હતો. હજુ સુધી એનટીડજે અને આઈએસના આતંકીઓ વચ્ચે કોઈ સીધો સંબંધ માલુમ પડી શક્યો નહોતો પરંતુ તપાસ સાથે જોડાયેલા લોકોએ આ વાતને માની હતી.
ભારત કરી રહ્યુ છે તપાસમાં સપોર્ટ
ભારત, શ્રીલંકાને હુમલા બાદ તપાસ માટે ઈન્ટેલીજન્સ અને ટેકનિકલ સપોર્ટ આપી રહ્યુ છે. આ હુમલામાં જેમાં સાત આત્મઘાતી હતા, અત્યાર સુધી 310 લોકોના મોત થઈ ચૂક્યા છે. આ 310માંથી 10 મૃતક ભારતીય છે. ભારતીય વિશેષજ્ઞો અને સીનિયર અધિકારીઓની માનીએ તો હુમલામાં આઈએસની છાપ જોવા મળે છે. ગયા વર્ષે મે મહિનામાં ઈન્ડોનેશિયા અને ફિલીપીંસમા ચર્ચ પર થતા હુમલા માટે આઈએસે જવાબદારી લીધી છે. સાથે ભારતીય એજન્સીઓ એ વાત પર પણ નજર રાખી રહી છે કે ક્યાંક તમિલનાડુ સ્થિત સંસ્થાને હુમલા સાથે કોઈ લેવાદેવા છે કે નહિ. તમિલનાડુ તોહીદ જમાત (ટીએનજે) નો આતંકવાદ સાથે કોઈ સીધો સંપર્ક નથી. પરંતુ આના પર નજર રાખવામાં આવી રહી છે કારણકે અધિકારીઓનું માનવુ છે સંસ્થા રેડીક્લાઈઝેશનમાં લાગી છે. સંસ્થા તરફથી પણ નિવેદન જાહેર કરવામાં આવ્યુ છે. સંસ્થાના જનરલ સેક્રેટરી અબ્દુલ રહેમાન તરફથી કહેવામાં આવ્યુ છે કે શ્રીલંકા કે કોઈ બીજા દેશના સંગઠન સાથે તેમને કોઈ લેવાદેવા નથી અને તે સંપૂર્ણપણે એક સ્વતંત્ર સંસ્થા તરીકે કામ કરી રહ્યા છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
