Coronavirusએ આતંકવાદીઓને પણ ડરાવ્યા, ISISએ નિર્દેશ આપ્યા
Coronavirusએ આતંકવાદીઓને પણ ડરાવ્યા, ISISએ નિર્દેશ આપ્યા
નવી દિલ્હીઃ દુનિયાભરમાં કોરોનાવાઈરસથી પીડિત લોકોની સંખ્યા 1 લાખ 51 હજાર 760 થઈ ગઈ છે, આ જીવલેણ વાઈરસ અત્યાર સુધી 137 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે અને તેના તેના લપેટામાં આવી 5764 લોકોના મોત થઈ ચૂક્યાં છે, ચીનમાં આ બીમારીથી 3189 લોકોના મોત થઈ ચૂક્યાં છે, જ્યારે ચીનથી બહાર કોરોનાવાઈરસથી મરનાર લોકોની સંખ્યા 2575 છે, આ વાઈરસના કારણે લોકોમાં ભયનો માહોલ છે, જ્યારે વિશ્વભરમાં આતંકનો ખોફ બનેલ ISIS પણ આ વાયરસથી ડરી ગયું છે.

અહેવાલો મુજબ ISISએ આતંકવાદીઓ માટે નવા નિર્દેશ જાહેર કર્યા છે, આતંકવાદીઓનું કહેવું છે કે બીમાર લોકોથી દૂર રહો, ખાણી-પીણી પહેલા હાથ ધોવ, સંક્રમિત વિસ્તારોમાં ના જાઓ. જો કે આ બધા નિર્દેશમાં કહ્યું કે- અલ્લાહ પર ભરોસો કરો અને તેમની શરણમાં આવી જાઓ, આતંકવાદીઓને આઈએસઆઈએસે કહ્યું કે બીમારી ખુદથી નથી આવતી આ અલ્લાહની મરજી અને આદેશથી આવે છે.
કોરોનાને લઈ ISISમાં દહેશત
જણાવી દઈએ કે બગદાદીના મોત બાદથી કમજોર પડેલ ISISને પણ કોરોનાનો ડર સતાવી રહ્યો છે, ઈરાકમાં અત્યાર સુધીમાં કોરોનાવાઈરસથી 80 લોકો સંક્રમિત થયા છે જ્યારે આમાંથી 8 લોકોના મોત થઈ ચૂક્યાં છે, જ્યારે સીરિયામાં અત્યાર સુધી કોરોનાનો એકેય મામલો સામે આવ્યો નથી પરંતુ માનવામાં આવી રહ્યું છે કે સીરિયામાં કોરોનાથી સંક્રમિત લોકો છે, હાલ તેમાં કોઈ શક નથી કે કોરોનાથી ISIS ડરેલું છે અને આ કારણે જ તે આતંકવાદીઓને તેનાથી બચવાના નિર્દેશ આપી રહ્યા છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
