ઈઝરાયેલ અને હમાસ વચ્ચે સંઘર્ષ વિરામનું એલાન, 11 દિવસના યુદ્ધમાં સેંકડો લોકો મર્યા
11 દિવસ સુધી ચાલેલા ખૂની સંઘર્ષ બાદ આખરે ગુરુવારે ઈઝરાયેલ અને હમાસે સંઘર્ષ વિરામનું એલાન કરી દીધું છે.
તેલ અવીવઃ 11 દિવસ સુધી ચાલેલા ખૂની સંઘર્ષ બાદ આખરે ગુરુવારે ઈઝરાયેલ અને હમાસે સંઘર્ષ વિરામનું એલાન કરી દીધું છે. બંને વચ્ચે થયેલા સંઘર્ષમાં ગાજા પટ્ટીમાં ભયાનક વિનાશ થયો અને ઈઝરાયેલમાં પણ મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા. ગુરુવારે ઈઝરાયેલી પીએમ બેંજામિન નેતન્યાહૂની ઑફિસેથી એક નિવેદન જાહેર કરવામાં આવ્યું જેમાં જણાવવામાં આવ્યું કે મોડી રાત સુધી ચાલેલી કેબિનેટની બેઠકે તેમના દેશના મિસ્રના પ્રસ્તાવને સ્વીકારી લીધો છે. જેની તરત બાદ હમાસ તરફથી પણ સંઘર્ષ વિરામ માટે તૈયાર હોવાનું નિવેદન આપ્યું અને આ ડીલ સ્વીકાર લીધી.

મિસ્રની સરકારી ન્યૂઝ એજન્સી 'મેના' મુજબ ઈઝરાયેલ અને હમાસ તરફથી યુદ્ધ વિરામની ઘોષણાના ત્રણ કલા બાદ બપોરે 2 વાગ્યેથી સીઝ ફાયર લાગૂ માનવામાં આવશે. જ્યારે પીએમ બેંજામિન નેતન્યાહૂની ઑફિસથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું કે, ઈઝરાયેલના આર્મી ચીફ અને અન્ય શીર્ષ ર7ા અધિકારીઓ સાથે વાતચીત બાદ સુરા કેબિનેટે સર્વસંમતિથી યુદ્ધ વિરામના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.
પ્રસ્તાવમાં આગળ કહેવામાં આવ્યું છે કે હમાસ વિરુદ્ધ ઓપરેશનમાં ઈઝરાયેલને કેટલાય મોર્ચે મહત્વની સફળતાઓ મળી, જેમાંથી કેટલીક અભૂતપૂર્વ છે. આ ઉપરાંત અપ્રત્ય હમાસને ભવિષ્ય માટે ધમકી પણ આપવામાં આવી છે.












Click it and Unblock the Notifications
