ભારતના દબાણના કારણે લખવીની ફરી ધરપકડ થઇ: લખવીનો વકીલ
ઇસ્લામાબાદ 31 ડિસેમ્બર: મુંબઇ પર આતંકવાદી હુમલાનો માસ્ટર માઇન્ડ ઝકીઉર રહેમાન લખવીને મુક્ત કરવાના ઇસ્લામાબાદ હાઇકોર્ટના નિર્ણય બાદ ભારત તરફથી જોરદાર વિરોધનો સૂર ઊઠ્યો હતો. જેના પરિણામે લખવીને પાછો જેલના હવાલે કરવાનો નિર્ણય પાકિસ્તાનની કોર્ટે કરવો પડ્યો.
પોતાની ફરીથી ધરપકડ અને ઇસ્લામાબાદની મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા બે દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલાતા આજે સેશન કોર્ટમાં લખવીએ પડકારી છે. જોકે કોર્ટની સુનાવણી થોડા સમય માટે સ્થગિત કરી દેવામાં આવી છે જેથી ફરિયાદી પક્ષ પોતાના જવાબમાં મજબૂત દલિલ રજૂ કરી શકે.
આ અંગેની જાણકારી આપતા લખવીના વકીલ રિઝવાન અબ્બાસીએ દાવો કર્યો હતો કે ભારતના દબાણના કારણે જ લખવીની ફરીથી ધરપકડ કરવામાં આવી છે. તેની શરૂઆતી આઝાદીથી પાડોશી દેશ નારાજ થઇ ગયું હતું. અબ્બાસીએ જણાવ્યું કે તેના વિરુધ્ધ જે મામલો દાખલ કરવામાં આવ્યો તેનો કોઇ આધાર ન્હોતો. લખવી હાલમાં સાર્વજનીક સુરક્ષા કાનૂન હેઠળ પોલીસ કસ્ટડીમાં છે.