Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મહાત્મા ગાંધીના ચરખાની UKમાં 1,10,000 પાઉન્ડમાં લિલામી

લંડન, 6 નવેમ્બર : મહાત્‍મા ગાંધીજીનો ચરખો જે એમણે 'ભારત છોડો આંદોલન' સમયે પુણેની યરવડા જેલમાં વાપર્યો હતો એની મંગળવારે યુનાઇટેડ કિંગડમ ખાતે લિલામી યોજવામાં આવી હતી. આ લિલામીમાં આ ઐતિહાસિક ચરખો 1,10,000 પાઉન્‍ડમાં વેચાયો હતો.

એક્સપર્ટનું કહેવું છે કે આ ચરખો એની અપેક્ષિત કિંમત કરતાં બમણી કિંમતમાં વેચાયો હતો. શ્રાપશાયર ખાતે મુલોક ઓક્‍શન હાઉસ દ્વારા ગાંધીજીનાં ચશ્‍માં અને અન્‍ય ઐતિહાસિક દસ્‍તાવેજોની પણ લિલામી યોજવામાં આવી હતી, જે આશરે 20,000પાઉન્‍ડમાં વેચાયા હતા.

gandhiji-with-charkha

મુલોક ઓફિસના મિચેલ મોરિસે એક સમાચાર સંસ્‍થાને જણાવ્‍યું હતું કે છેલ્લી ઘડીએ કરવામાં આવેલી લિલામીમાં 20,000 પાઉન્‍ડ ઉપજયા હતા. જયારે આ વખતના ફક્‍ત એમના ચરખાની કિંમત 1,10,000 પાઉન્‍ડ ઉપજયા હતા. ગાંધીજી દ્વારા પુણેની યરવડા જેલમાં વપરાયેલા આ ચરખાને ત્‍યાર પછી તેમણે અમેરિકન ફ્રી મેથોડિસ્‍ટ મિશનરી રેવરેંડ ફ્‌લોયડ એ પ્‍યુફરને ભેટમાં આપ્‍યો હતો. એની પ્રારંભિક બોલી 60,000 પાઉન્‍ડથી શરૂ થઇ હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X