જેણે ઉજવણી શરૂ કરી હતી, એનો જ પરિવાર હવે નથી ઉજવતો Mothers Day, જાણો કારણ
માતા અને બાળક વચ્ચેનો સંબંધ એ વિશ્વની સૌથી મહત્વપૂર્ણ અને કિંમતી વસ્તુ છે. માતા સાથે સંબંધ બંધાયા બાદ જ બાળક મોટા થાય ત્યાં સુધી તેના જીવનમાં ઘણા વધુ સંબંધો અપનાવી શકે છે. તમે મધર્સ ડે ની ઘણી બધી સ્ટોરી વાંચી જ હશે.
માતા અને બાળક વચ્ચેનો સંબંધ એ વિશ્વની સૌથી મહત્વપૂર્ણ અને કિંમતી વસ્તુ છે. માતા સાથે સંબંધ બંધાયા બાદ જ બાળક મોટા થાય ત્યાં સુધી તેના જીવનમાં ઘણા વધુ સંબંધો અપનાવી શકે છે. તમે મધર્સ ડે ની ઘણી બધી સ્ટોરી વાંચી જ હશે.
આ દિવસની શરૂઆત કેવી રીતે થઈ તે વિશે કદાચ તમે કહ્યું જ હશે, પરંતુ શું તમે જાણો છો કે આ દિવસની ઉજવણી સૌપ્રથમ કોણે કરી હતી અને જેણે પહેલા આ દિવસની ઉજવણી કરી હતી, તેણે પછીથી મધર્સ ડેની ઉજવણી કરવાનું બંધ કરી દીધું હતું.
સમગ્ર વિશ્વમાં મધર્સ ડે ધામધૂમથી ઉજવવામાં આવે છે, પરંતુ જેણે આ દિવસ સૌપ્રથમ પહેલીવાર ઉજવ્યો હતો, તેમણે આ દિવસની ઉજવણી પછીથી કરવાનું બંધ કરી દીધું હતું. તેમનો પરિવાર અને સંબંધીઓ હવે આ દિવસની ઉજવણી કરતા નથી.

મધર્સ ડે ન ઉજવવાનું કારણ
દરેક વ્યક્તિ જાણે છે કે, મધર્સ ડે દર વર્ષે મે મહિનાના બીજા રવિવારના રોજ ઉજવવામાં આવે છે. આ પરંપરા લગભગ 110 વર્ષથી ચાલીઆવે છે. આ દિવસની શરૂઆત અન્ના જાર્વિસ દ્વારા કરવામાં આવી હતી. અન્નાએ આ દિવસ તેની માતાને સમર્પિત કર્યો અને તારીખ એવીરીતે પસંદ કરી કે, તે 9 મેના રોજ તેની માતાની પુણ્યતિથિની આસપાસ આવે.
અન્ના જાર્વિસની માતા, એન રીવ્સ જાર્વિસ, માતાઓ માટે તેમની અનુપમ સેવા માટે માતાઓનું સન્માન કરવા માટે એક દિવસની શરૂઆતકરવાનો હેતુ ધરાવે છે. જોકે, જાર્વિસનું 1905માં અવસાન થયું અને તેના સપનાને સાકાર કરવાની જવાબદારી તેની પુત્રીએ લીધી હતી.
જોકે, અન્નાએ દિવસની થીમ સહેજ બદલી છે. તેમણે જણાવ્યું હતું કે, આ દિવસે લોકો તેમની માતાના બલિદાનને યાદ કરે છે અને પ્રશંસાકરે છે. લોકોને તેનો વિચાર એટલો ગમ્યો કે, તેને અપનાવવામાં આવ્યો અને એન રીવ્સના મૃત્યુના ત્રણ વર્ષ બાદ 1908માં પ્રથમ વખતમધર્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી.

આ કારણે મધર્સ ડે વિરોધ
જ્યારે મધર્સ ડે પ્રથમ વખત ઉજવવામાં આવ્યો હતો, ત્યારે અન્ના જાર્વિસ તેની પોસ્ટર ગર્લ હતી. તેમણે તે દિવસે મહિલાઓને તેની માતાના મનપસંદ સફેદ કાર્નેશન ફૂલોનું વિતરણ કર્યું હતું, જે વ્યવહારમાં લેવામાં આવ્યા હતા. આ ફૂલોનું વ્યાપારીકરણ એટલું વધી ગયું કે,આવનારા વર્ષોમાં મધર્સ ડે પર સફેદ કાર્નેશન ફૂલોનું બ્લેક માર્કેટિંગ થવા લાગ્યું હતું.
લોકો આ ફૂલોને ઊંચા ભાવે વેચવા લાગ્યા હતા. આ જોઈને અન્ના ખૂબ ગુસ્સે થયા અને આ દિવસ ન ઉજવવાનું નક્કી કર્યું હતું. આ બાદઅન્નાએ પણ માતાઓની ઉજવણી ન કરવા માટે ઝુંબેશ ચલાવી, પરંતુ તેનો ફાયદો થયો નહીં.

ભેટને લઈને ગુસ્સે થઈ ગયા હતા અન્ના
ઉલ્લેખનીય છે કે, મધર્સ ડે પર માત્ર સફેદ ફૂલો જ નહીં પરંતુ ટોફી, ચોકલેટ અને તમામ પ્રકારની ગિફ્ટ્સ પણ ટ્રેન્ડમાં આવવા લાગી હતી.આવી સ્થિતિમાં અન્નાએ લોકોને ઠપકો પણ આપ્યો હતો. તેમણે કહ્યું કે, લોકોએ પોતાના લોભ માટે મધર્સ ડે નું વેપારીકરણ કર્યું છે. તેનાથીમધર્સ ડે નું મહત્વ ઘટી ગયું છે.
વર્ષ 1920 માં અન્નાએ લોકોને ફૂલ ન ખરીદવાની અપીલ પણ કરી હતી. અન્ના તેમની છેલ્લી ઘડી સુધી આ દિવસને સમાપ્ત કરવાનાઅભિયાનમાં વ્યસ્ત હતા, પરંતુ સફળતા મળી ન હતી. વર્ષ 1948 ની આસપાસ, અન્નાએ આ દુનિયાને અલવિદા કહ્યું હતું. ત્યારથી, અન્નાનાસંબંધીઓ આ દિવસની ઉજવણી કરતા નથી.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી


Click it and Unblock the Notifications
