26/11નો મુખ્ય આરોપી જકી-ઉર-રહેમાન લખવી જામીન પર મુક્ત
કરાંચી, 18 ડિસેમ્બર: જે વાતનો ડર હતો તે જ થયું. છ વર્ષ પહેલાં મુંબઇમાં થયેલા આતંકવાદી હુમલા 26/11ની સુનાવણીમાં જલદી કરવાના બદલે પાકિસ્તાનની કોર્ટે આ મુદ્દે મુખ્ય આરોપી જકી-ઉર-રહમાન લખવીને જામીન પર મુક્ત કરી દિધો હતો.
પાકિસ્તાની કોર્ટે આ પગલું લશ્કર-એ-તૈયબાના મુખિયા હાફિજ સઇદના તે નિવેદન બાદ ઉઠાવ્યો છે જેમાં તેણે ભારત પર હુમલો કરવાની ધમકી આપી હતી. લાહોરમાં બુધવારે એક રેલીમાં બોલતાં સઇદે ભારત પર પેશાવર હુમલાનો આરોપ લગાવ્યો હતો અને સાથે જ ભારત પર હુમલાની ધમકી આપી હતી.

પાક કોર્ટે આ પગલું લખવી વિરૂદ્ધ પુરાવા ન હોવાના લીધે ભર્યું છે. હુમલાનો માસ્ટર માઇન્ડ હાફિજ સઇદ પહેલાં જ પાકમાં આઝાદ ફરી રહ્યો છે.












Click it and Unblock the Notifications
