For Daily Alerts
PMએ પ્રથમ વિશ્વ યુદ્ધમાં શહીદ થયેલા ભારતીયો આપી શ્રદ્ધાજંલિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા હાઇફા. જ્યાં ભારતીય સૈનિકો પ્રથમ વિશ્વયુદ્ધમાં થયા છે શહીદ.પીએમએ શહીદોને આપી શ્રદ્ધાજંલિ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઇઝરાયેલ યાત્રાના અંતિમ પડાવ પર છે. આજે તેમણે ઇઝરાયેલના હાઇફા શહેરની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે આ શહેરને તૂકીઓથી જીતવા પાછળ ભારતીય જવાનોનો હાથ છે. વડાપ્રધાન પ્રથમ વિશ્વ યુદ્ધમાં શહિદ થયેલા ભારતીયોને શ્રદ્ધાજંલિ આપી હતી વળી આ પ્રસંગે ઇઝરાયેલના પીએમ નેતન્યાહૂ પણ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે 99 વર્ષ પહેલા ભારતીય સૈનિકોએ તેમના શૌર્ય આ શહેર પર જીત મેળવી હતી.
ભારતીય ઘોડેસવારોની ટૂકડીની આ સાહસ કથાને ઇઝરાયેલના ભણતરની ચોપડીમાં પણ આવરવામાં આવ્યો છે. પ્રથમ વિશ્વ યુદ્ધમાં અંગ્રેજો માટે લડવા ભારતના વિવિધ રજવાડાએ તેમની સૈનિકોને મોકલ્યા હતા. આ લડાઇમાં 44 ભારતીય સૈનિકો શહીદ થયા હતા. અને તે પછી તેમની અહીં જ સમાધિ બનાવવામાં આવી હતી. જેમને આજે આટલા વર્ષો પછી ઇઝરાયેલ ગયેલા ભારતીય વડાપ્રધાને શ્રદ્ઘાજંલિ આપી.
Comments
English summary
Prime Minister Narendra Modi on Thursday paid homage the Haifa cemetery where brave Indian soldiers, who laid down their lives during the liberation.
Story first published: Thursday, July 6, 2017, 14:42 [IST]