નવાઝ શરીફની દિલની તમન્ના શા માટે અધૂરી રહી?
નવી દિલ્હી, 28 મે : નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે આવેલા પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ પાકિસ્તાન પરત પહોંચી ગયા છે. ભારતની મુલાકાત લીધી હોવા છતાં તેમના દિલની તમન્ના અધૂરી જ રહી છે. નવાઝ શરીફે પોતાના દિલની તમન્ના કોને કહી હતી અને ભારત મુલાકાત દરમિયાન તે શા માટે પૂરી ના થઇ શકી તે આવો જાણીએ...

શરીફે કોને કહી જણાવી પોતાની ઇચ્છા?
દિલ્હીમાં એક પ્રાઇવેટ પાર્ટી દરમિયાન શબાના આઝમી અને નવાઝ શરીફ વચ્ચે મુલાકાત થઇ હતી. આ મુલાકાતમાં બંને વચ્ચે કલા સંસ્કૃતિ અને ફિલ્મો અંગે વાતચીત થઇ હતી.

શરીફ અને આઝમી વચ્ચે શું વાતચીત થઇ?
શબાના આઝમી અને શરીફ વચ્ચે થયેલી વાતચીત દરમિયાન શરીફે જણાવ્યું કે તેઓ શબાનાના પિતા કૈફી આઝમી અને પતિ જાવેદ અખ્તરના પ્રશંસક છે. તેઓ અમિતાભ અને લતા મંગેશકરના પણ ચાહક છે.

અમિતાભ અને લતા દીદીના દિવાના
પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ બોલીવુડ સુપર સ્ટાર અમિતાભ બચ્ચન અને ગાયિકા લતા મંગેશકરના મોટા પ્રશંસક છે. પોતાની ભારત મુલાકાત દરમિયાન તેઓ આ બંને કલાકારોને મળવાની તમન્ના સાથે આવ્યા હતા.

તો ઇચ્છા પૂરી થઇ હોત
ભારતના નવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ સમારોહમાં અમિતાભ બચ્ચન અને લતા મંગેશકર, બંનેને આમંત્રણ આપવામાં આવ્યું હતું. શરીફને આશા હતી કે અહીં તેમને અમિતાભ બચ્ચન અને લતા મંગેશકરને મળવાની તક મળશે. જો કે કોઇ કારણથી બંને ઉપસ્થિત રહ્યા ન હતા. જેથી શરીફની ઇચ્છા અધૂરી રહી ગઇ હતી.

ફરી ક્યારેક મુલાકાત થશે
શરીફ ખાલી હાથ નહીં પણ ખાલી ઇચ્છા સાથે પાકિસ્તાન પાછા ફર્યા છે. તેમને આશા છે કે ભવિષ્યમાં ભારત સાથેના સંબંધો સુધરતા તેમની આશા પૂરી થશે.
શરીફે કોને કહી જણાવી પોતાની ઇચ્છા?
દિલ્હીમાં એક પ્રાઇવેટ પાર્ટી દરમિયાન શબાના આઝમી અને નવાઝ શરીફ વચ્ચે મુલાકાત થઇ હતી. આ મુલાકાતમાં બંને વચ્ચે કલા સંસ્કૃતિ અને ફિલ્મો અંગે વાતચીત થઇ હતી.
શરીફ અને આઝમી વચ્ચે શું વાતચીત થઇ?
શબાના આઝમી અને શરીફ વચ્ચે થયેલી વાતચીત દરમિયાન શરીફે જણાવ્યું કે તેઓ શબાનાના પિતા કૈફી આઝમી અને પતિ જાવેદ અખ્તરના પ્રશંસક છે. તેઓ અમિતાભ અને લતા મંગેશકરના પણ ચાહક છે.
અમિતાભ અને લતા દીદીના દિવાના
પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ બોલીવુડ સુપર સ્ટાર અમિતાભ બચ્ચન અને ગાયિકા લતા મંગેશકરના મોટા પ્રશંસક છે. પોતાની ભારત મુલાકાત દરમિયાન તેઓ આ બંને કલાકારોને મળવાની તમન્ના સાથે આવ્યા હતા.
તો ઇચ્છા પૂરી થઇ હોત
ભારતના નવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ સમારોહમાં અમિતાભ બચ્ચન અને લતા મંગેશકર, બંનેને આમંત્રણ આપવામાં આવ્યું હતું. શરીફને આશા હતી કે અહીં તેમને અમિતાભ બચ્ચન અને લતા મંગેશકરને મળવાની તક મળશે. જો કે કોઇ કારણથી બંને ઉપસ્થિત રહ્યા ન હતા. જેથી શરીફની ઇચ્છા અધૂરી રહી ગઇ હતી.
ફરી ક્યારેક મુલાકાત થશે
શરીફ ખાલી હાથ નહીં પણ ખાલી ઇચ્છા સાથે પાકિસ્તાન પાછા ફર્યા છે. તેમને આશા છે કે ભવિષ્યમાં ભારત સાથેના સંબંધો સુધરતા તેમની આશા પૂરી થશે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
