નીજેર : સંદિગ્ધ ઇસ્લામિક ચરમપંથી હુમલામાં '79 લોકોનાં મૃત્યુ'
નીજેર : સંદિગ્ધ ઇસ્લામિક ચરમપંથી હુમલામાં '79 લોકોનાં મૃત્યુ'
નીજેરમાં બે ગામો પર થયેલા સંદિગ્ધ ઇસ્લામિક ચરમપંથી હુમલામાં 79 લોકો મૃત્યુ પામ્યા છે એમ રૉયટર્સ સમાચાર સંસ્થાનું કહેવું છે.
માલીની સીમા નજીક બે ગામ પર થયેલા આ હુમલામાં કથિત ઇસ્લામિક જેહાદીઓએ 79 લોકોની હત્યા કરી છે.
સ્થાનિક અધિકારીએ બીબીસીને ટિલ્લાબેરી વિસ્તારમાં ચોમોબાંગોઉ નામના ગામ પર હુમલો થયાની પુષ્ટિ કરી છે.
રૉયટર્સનું કહેવું છે કે ચોમોબાંગોઉમાં 49 લોકોની હત્યા થઈ છે જ્યારે અન્ય ગામ જારોમદારેયમાં 30 લોકોની હત્યા થઈ છે. 17 લોકો ચોમોબાંગોઉમાં ઘાયલ છે.
આ વિસ્તારમાં 2017થી જ કટોકટી લાગુ છે.
તાજેતરના મહિનાઓમાં આ વિસ્તારમાં પડોશી દેશ માલીથી આવનારા સંદિગ્ધ જેહાદીઓએ અનેક હુમલા કર્યાં છે.
શનિવારે ફ્રાન્સે કહ્યું કે તેના બૈ સૈનિકો માલીમાં માર્યા ગયા છે. એના કલાકેક અગાઉ અલકાયદા સાથે સંબંધિત સમૂહે કહ્યું કે માલીમાં એક અલગ હુમલામાં ફ્રાન્સની ત્રણ ટુકડીઓ પર હુમલા પાછળ એમનો હાથ છે.
આ હુમલાઓ બાબતે હજી નીજેરની સરકારે ટિપ્પણી નથી કરી.
પશ્ચિમ આફ્રિકન દેશ નીજેરમાં અલકાયદા અને ઇસ્લામિક સ્ટેટ સાથે સંબંધિત જૂથો અનેક હુમલાઓ અગાઉ પણ કરી ચૂક્યા છે.
ગત વર્ષે થયેલા હુમલામાં સેંકડો લોકો માર્યા ગયા હતા.
પડોશી દેશ નાઇજીરિયામાં સક્રિય ચરમપંથી સંગઠન બોકો હરામે ગત મહિને દક્ષિણ પૂર્વના દીફા વિસ્તારમાં ઓછામાં ઓછા 27 લોકોની હત્યા કરી દીધી હતી.
- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
https://www.youtube.com/watch?v=CZRuslESZUI
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો