Nobel Prize 2023 : નોર્વેના જ્હોન ફોસેને સાહિત્યનો નોબેલ પુરસ્કાર, નાટક અને ગદ્ય માટે સન્માન અપાયુ
સાહિત્ય ક્ષેત્રના નોબેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. સાહિત્યમાં 2023 નો નોબેલ પુરસ્કાર નોર્વેજીયન લેખક જ્હોન ફોસેને તેમના નાટકો અને ગદ્ય માટે એનાયત કરવામાં આવ્યો છે.
1959 માં નોર્વેમાં જન્મેલા જ્હોન ફોસેને તેમના નવા નાટકો અને ગદ્ય માટે સન્માનિત કરવામાં આવ્યા છે. નોબેલ એકેડેમી તરફથી એક નિવેદનમાં આ જાહેરાત કરવામાં આવી છે.

સાહિત્યિક નોબેલ પુરસ્કાર વિજેતા જ્હોન ફોસે ફોસ મિનિમલિઝમ તરીકે ઓળખાતી શૈલીમાં નવલકથાઓ લખી છે. આ તેમની બીજી નવલકથા સ્ટેન્જ્ડ ગિટારમાં જોઈ શકાય છે.
જણાવી દઈએ કે વર્ષ 2022 માટે સાહિત્યનું નોબેલ પુરસ્કાર ફ્રેન્ચ લેખિકા એની એર્નોક્સને આપવામાં આવ્યું હતું. એનીનો જન્મ 1 સપ્ટેમ્બર 1940ના રોજ થયો હતો. તે ફ્રેન્ચ લેખક અને સાહિત્યના પ્રોફેસર છે. તેમનું સાહિત્યિક કાર્ય આત્મકથા અને સમાજશાસ્ત્ર પર આધારિત છે.












Click it and Unblock the Notifications
