હવે ઈમરાન ખાને જાતે ઘૂસણખોરીની વાત સ્વીકારી, કહ્યું - Loc પાર ન કરો
પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પીઓકે) ના રહેવાસીઓને ચેતવણી આપી છે કે કાશ્મીરીઓને માનવતાવાદી સહાય કે સમર્થન આપવા માટે લાઇન ઓફ કંટ્રોલ (એલઓસી) પાર ન કરવી.
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને શનિવારે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પીઓકે) ના રહેવાસીઓને ચેતવણી આપી છે કે કાશ્મીરીઓને માનવતાવાદી સહાય કે સમર્થન આપવા માટે લાઇન ઓફ કંટ્રોલ (એલઓસી) પાર ન કરવી. આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે કાશ્મીરમાં ઘૂસણખોરી પાકિસ્તાનથી થઈ રહી છે. ઈમરાન ખાને હવે તેને પરોક્ષ રીતે સ્વીકારી લીધું છે. તેમના 67 માં જન્મદિવસ પર તેમણે ટ્વિટ કરીને યુવાનોને એલઓસી પાર ન કરવાની ચેતવણી આપી હતી.

એલઓસીને પાર કરવી ભારતના નેરેટિવને મજબૂત કરશે
ઇમરાન ખાને ટ્વિટ કરીને પીઓકેના લોકોને સંબોધન કરતા લખ્યું છે કે, હું કાશ્મીરીઓનો ક્રોધ સમજી શકું છું, જે 2 મહિનાથી વધુ સમયથી અમાનવીય કર્ફ્યુ હેઠળ IOJK (ભારતીય કાશ્મીર) માં તેમના સાથી કાશ્મીરીઓને જોઈ રહ્યા છે. પરંતુ પીઓકેમાંથી કોઈપણ વ્યક્તિ માનવતાવાદી સહાય માટે એલઓસીને પાર કરવી ભારતના નેરેટિવને મજબૂત બનાવશે.
|
ખાને પીઓકેના રહેવાસીઓને આ ચેતવણી આપી હતી
આ પછી ઇમરાન ખાને વધુ એક ટ્વીટ કરી છે. તેમણે લખ્યું છે કે, એક નેરેટિવ છે જેમાં કાશ્મીરીઓ વિરુદ્ધ ભારતની ક્રૂરતાને પાકિસ્તાન દ્વારા સંચાલિત ઇસ્લામિક આતંકવાદ તરીકે દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ ભારતને IOJK માં કાશ્મીરીઓ વિરુદ્ધ હિંસક સતાવણીને વધારવા અને એલઓસી પર હુમલો કરવા માટે બહાનું આપશે. એક અહેવાલ મુજબ, જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટના એક કોલ પર હજારો લોકોએ શુક્રવારે પીઓકેના જુદા જુદા ભાગોથી મુઝફ્ફરાબાદ સુધીની મોટરસાયકલ અને અન્ય વાહનોની રેલી કાઢી હતી. આ ઘટનાના એક દિવસ બાદ ખાને પીઓકેના રહેવાસીઓને આ ચેતવણી આપી છે.
|
ભૂતકાળમાં, ઇમરાને પીઓકેના યુવાનોને ઉશ્કેર્યા હતા
ગયા મહિને પીઓકેના મુઝફ્ફરાબાદમાં એક રેલીને સંબોધન કરતી વખતે ઇમરાને કહ્યું હતું કે 'હું તમારો જુસ્સો જાણું છું. તમારામાંના એલઓસીને પાર કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે, પરંતુ હું તમને આજે કહું છું કે અત્યારે લાઈન ઓફ કંટ્રોલ પર જવાની જરૂર નથી. તમે લોકો ત્યારે લાઈન ઓફ કંટ્રોલ પર જજો જયારે હું તમને જવા માટે કહું. પહેલા મને સંયુક્ત રાષ્ટ્રમાં જઇને કાશ્મીર વિશે દુનિયાને કહેવા દો. તમને જણાવી દઇએ કે જો તેનો મુદ્દો નહીં નીકળ્યો, તો તેની અસર વિશ્વભરમાં થશે.
આ પણ વાંચો: J&K: અનંતનાગમાં ડિસી ઑફિસ પર આંતંકીઓએ ગ્રેનેડ હુમલો કર્યો, 10 લોકો ઘાયલ
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
