હવે ઈમરાન ખાને જાતે ઘૂસણખોરીની વાત સ્વીકારી, કહ્યું - Loc પાર ન કરો
પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પીઓકે) ના રહેવાસીઓને ચેતવણી આપી છે કે કાશ્મીરીઓને માનવતાવાદી સહાય કે સમર્થન આપવા માટે લાઇન ઓફ કંટ્રોલ (એલઓસી) પાર ન કરવી.
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને શનિવારે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પીઓકે) ના રહેવાસીઓને ચેતવણી આપી છે કે કાશ્મીરીઓને માનવતાવાદી સહાય કે સમર્થન આપવા માટે લાઇન ઓફ કંટ્રોલ (એલઓસી) પાર ન કરવી. આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે કાશ્મીરમાં ઘૂસણખોરી પાકિસ્તાનથી થઈ રહી છે. ઈમરાન ખાને હવે તેને પરોક્ષ રીતે સ્વીકારી લીધું છે. તેમના 67 માં જન્મદિવસ પર તેમણે ટ્વિટ કરીને યુવાનોને એલઓસી પાર ન કરવાની ચેતવણી આપી હતી.

એલઓસીને પાર કરવી ભારતના નેરેટિવને મજબૂત કરશે
ઇમરાન ખાને ટ્વિટ કરીને પીઓકેના લોકોને સંબોધન કરતા લખ્યું છે કે, હું કાશ્મીરીઓનો ક્રોધ સમજી શકું છું, જે 2 મહિનાથી વધુ સમયથી અમાનવીય કર્ફ્યુ હેઠળ IOJK (ભારતીય કાશ્મીર) માં તેમના સાથી કાશ્મીરીઓને જોઈ રહ્યા છે. પરંતુ પીઓકેમાંથી કોઈપણ વ્યક્તિ માનવતાવાદી સહાય માટે એલઓસીને પાર કરવી ભારતના નેરેટિવને મજબૂત બનાવશે.
|
ખાને પીઓકેના રહેવાસીઓને આ ચેતવણી આપી હતી
આ પછી ઇમરાન ખાને વધુ એક ટ્વીટ કરી છે. તેમણે લખ્યું છે કે, એક નેરેટિવ છે જેમાં કાશ્મીરીઓ વિરુદ્ધ ભારતની ક્રૂરતાને પાકિસ્તાન દ્વારા સંચાલિત ઇસ્લામિક આતંકવાદ તરીકે દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ ભારતને IOJK માં કાશ્મીરીઓ વિરુદ્ધ હિંસક સતાવણીને વધારવા અને એલઓસી પર હુમલો કરવા માટે બહાનું આપશે. એક અહેવાલ મુજબ, જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટના એક કોલ પર હજારો લોકોએ શુક્રવારે પીઓકેના જુદા જુદા ભાગોથી મુઝફ્ફરાબાદ સુધીની મોટરસાયકલ અને અન્ય વાહનોની રેલી કાઢી હતી. આ ઘટનાના એક દિવસ બાદ ખાને પીઓકેના રહેવાસીઓને આ ચેતવણી આપી છે.
|
ભૂતકાળમાં, ઇમરાને પીઓકેના યુવાનોને ઉશ્કેર્યા હતા
ગયા મહિને પીઓકેના મુઝફ્ફરાબાદમાં એક રેલીને સંબોધન કરતી વખતે ઇમરાને કહ્યું હતું કે 'હું તમારો જુસ્સો જાણું છું. તમારામાંના એલઓસીને પાર કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે, પરંતુ હું તમને આજે કહું છું કે અત્યારે લાઈન ઓફ કંટ્રોલ પર જવાની જરૂર નથી. તમે લોકો ત્યારે લાઈન ઓફ કંટ્રોલ પર જજો જયારે હું તમને જવા માટે કહું. પહેલા મને સંયુક્ત રાષ્ટ્રમાં જઇને કાશ્મીર વિશે દુનિયાને કહેવા દો. તમને જણાવી દઇએ કે જો તેનો મુદ્દો નહીં નીકળ્યો, તો તેની અસર વિશ્વભરમાં થશે.
આ પણ વાંચો: J&K: અનંતનાગમાં ડિસી ઑફિસ પર આંતંકીઓએ ગ્રેનેડ હુમલો કર્યો, 10 લોકો ઘાયલ
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી





Click it and Unblock the Notifications
