પોરબંદર ઘટના માટે પાકિસ્તાને ભારતને ગણાવ્યું જવાબદાર
ઇસ્લામાબાદ, 2 જાન્યુઆરી: જ્યાં ભારતમાં પોરબંદરવાળી ઘટનાથી હલચલ મચી ગઇ તો તો બીજી તરફ પાડોશી મુલ્ક પાકિસ્તાન પોતાની સીનાચોરી ચાલુ રાખી છે. પાકિસ્તાને આ ઘટનામાં પોતાનો હાથ હોવાની સ્પષ્ટ મનાઇ કરી દિધી છે. પાકિસ્તાનની સીનાચોરી તો જુઓ પોતાના ત્યાં આવેલી બોટ માટે પણ ભારતને જવાબદાર ગણાવી રહ્યું છે.
પાકિસ્તાન વિદેશ મંત્રાલયની પ્રવક્તા તસનીમ અસલમ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે ભારત દ્વારા આ વાત માટે પાકિસ્તાનને જવાબદાર ગણાવી પાકિસ્તાન વિરૂદ્ધ એક પ્રપોગેંડા રચી દિધો છે. તો બીજી તરફ પાકિસ્તાની વિદેશ મંત્રાલયના સૂત્રોનું માનીએ તો ભારતે પોતે આ પ્રકારને અંજામ આપ્યું છે જેથી પાકિસ્તાનની છબિ દુનિયાભરમાં ખરાબ થઇ જાય.
પાકિસ્તાનમાં આ ઘટનાને લઇને મિશ્ર પ્રતિક્રિયા આવી રહી છે. જ્યારે પાક્સિતાને ફિશરફોક ફોરમનું કહેવું છે કે બોટ પોરબંદરમાં દાખલ થઇ હતી તે કોઇપણ માછીમારની ન હતી. તો બીજી તરફ વિશેષજ્ઞોનું માનીએ તો બોટના દાખલ કરવાથી સ્પષ્ટ થાય છે કે ભારતની ઇંટેલીજેંસ એજેંસીઓ કેટલી નબળી છે.