ઈમરાન ખાનનો શપથગ્રહણ મુશ્કેલીમાં, બે સીટોના પરિણામો અટકાવાયા
પાકિસ્તાનના ચૂંટણી આયોગે મંગળવારે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) ના પ્રમુખ ઈમરાન ખાનની બે સીટો પર જીતની અધિસૂચના અટકાવી દીધી છે.
પાકિસ્તાનના ચૂંટણી આયોગે મંગળવારે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) ના પ્રમુખ ઈમરાન ખાનની બે સીટો પર જીતની અધિસૂચના અટકાવી દીધી છે. ચૂંટણી આયોગના આ નિર્ણયથી ઈમરાના ખાનનો શપથગ્રહણ અટક્યો છે. 25 જુલાઈના રોજ પાકિસ્તાનમાં થયેલ ચૂંટણી બાદ ઈમરાનનો પક્ષ સૌથી મોટા પક્ષ તરીકે સામે આવ્યો છે સોમવારે પક્ષે ઈમરાન ખાને પોતાના સંસદીય દળના નેતા ઘોષિત કરી દીધા.

ઈસ્લામાબાદ અને લાહોરની સીટ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઈમરાન ખાનની ત્રણ સીટો પર જીતની અધિસૂચના જારી કરી દેવામાં આવી છે પરંતુ ચૂંટણી આયોગને આચાર સંહિતાના ઉલ્લંઘનના કારણે નિર્ણય લેવામાં મોડુ થઈ રહ્યુ છે. 65 વર્ષીય ઈમરાને પાંચ સીટો પર ચૂંટણી લડી હતી અને બધી સીટો પર જીત મેળવી છે. ચૂંટણી આયોગે ઈસ્લામાબાદની એનએ-53 અને લાહોરની એનએ-131 સીટ પર આવેલા પરિણામોની સૂચના જારી કરવા પર રોક લગાવી દીધી છે. એનએ-53 થી ઈમરાને પૂર્વ પાક પીએમ શાહિદ ખાકન અબ્બાસીને મ્હાત આપી છે. ઈમરાનને આ સીટ પર 92,891 મત મળ્યા હતા જ્યારે અબ્બાસીને 44,314 મત મળ્યા હતા. ચૂંટણી આયોગે ઈમરાન સામે નોંધાયેલ આચાર સંહિતાના ઉલ્લંઘન સાથે જોડાયેલા કેસની સુનાવણી કરવાની છે. આના કારણે પરિણામો પર રોક લગાવી દેવામાં આવી છે.
પૂર્વ રેલ મંત્રીને દાખલ કરી યાચિકા
લાહોરની એનએ-131 સીટ પર ઈમરાનનો મુકાબલો પાકિસ્તાનના મુસ્લિમ લીગ- નવાઝના નેતા અને પાકના પૂર્વ રેલ મંત્રી ખ્વાજા સાદ રફીક સાથે હતો. રફીકે ઈમરાનને આકરી ટક્કર પણ આપી હતી. એનએ-131 સીટ પર ઈમરાનની જીતની સૂચના ટાળી દેવામાં આવી છે કારણકે લાહોર હાઈકોર્ટમાં રફીકે યાચિરા દાખલ કરી હતી. આ યાચિકામાં તેમણે આ સીટ પર મતનો ગણતરી ફરીથી કરવાની માંગ કરી હતી. બાનુની એનએ-35, મિયાંવાલીની એનએ-95 અને કરાંચી ઈસ્ટની એનએ-243 પર ઈમરાનની જીતનો વિષય પમ આચાર સંહિતાના ઉલ્લંઘન મામલે ચૂંટણી આયોગના અંતિમ નિર્ણય પર થશે. આ પહેલા કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યુ હતુ કે ચૂંટણી આયોગે તે બધી પાંચ સીટોના પરિણામો પર રોક લગાવી દીધી છે. જો કે બાદમાં આના પર સ્પષ્ટીકરણ કરવામાં આવ્યુ અને માત્ર બે સીટેના પરિણામો પર રોક લગાવવામાં આવી છે.
-
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Gujarat UCC: મુસ્લિમ મહિલાઓને હલાલામાંથી આઝાદી, બીજા લગ્ન પર 7 વર્ષની જેલ! જાણો 5 મોટા નિર્ણયો -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 17 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
ટુના-ટેકરા પોર્ટના વિકાસ માટે કેન્દ્રની મોટી જાહેરાત, 472 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ










Click it and Unblock the Notifications
