ખૌફમાં છે પાકિસ્તાન, સર્જિકલ સ્ટ્રાઇકનો ડર, વિદેશ મંત્રી કુરેશીએ કહી આ વાત
પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહેમૂદ કુરેશીના મનમાં ભારતીય સૈન્યનો ડર છે. તેની ધાક યુએઈ પ્રવાસ પર દેખાઇ હતી, જ્યાં તેમણે કહ્યું હતું કે તેમને ગુપ્તચર સૂત્રો પાસેથી માહિતી મળી હતી કે ભારત ફરી એક વખત પાકિસ્તાન સામે સર્જિકલ
પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહેમૂદ કુરેશીના મનમાં ભારતીય સૈન્યનો ડર છે. તેની ધાક યુએઈ પ્રવાસ પર દેખાઇ હતી, જ્યાં તેમણે કહ્યું હતું કે તેમને ગુપ્તચર સૂત્રો પાસેથી માહિતી મળી હતી કે ભારત ફરી એક વખત પાકિસ્તાન સામે સર્જિકલ સ્ટ્રાઇક કરી શકે છે.
પાકિસ્તાનના વિદેશ પ્રધાને અબુધાબીમાં જણાવ્યું હતું કે ગુપ્તચર સૂત્રો પાસેથી માહિતી મળી છે કે ભારતીય સૈન્ય ફરીથી પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઇક કરી શકે છે. તેમણે કહ્યું કે ભારતીય સૈન્યની આગામી સર્જિકલ સ્ટ્રાઈક અંગે તેમની પાસે પુરાવા છે. તેમણે કહ્યું કે ભારતનું આ આયોજન ખૂબ ગંભીર બાબત છે. તેમણે કહ્યું કે ભારતે પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક કરવા માટે તેના વિશેષ સહયોગી દેશોની મંજૂરી મેળવવાનો પ્રયાસ કર્યો છે.
કુરેશીએ કહ્યું કે ભારત તેના આંતરિક મુદ્દાઓથી લોકોનું ધ્યાન હટાવવા માટે આવી યોજનાઓ બનાવી રહ્યું છે. કુરેશીએ કહ્યું કે ભારત તેના આંતરિક મુદ્દાઓથી લોકોનું ધ્યાન હટાવવા માટે અમને અસ્થિર બનાવવા માંગે છે. કુરેશીએ કહ્યું કે તેઓ વિશ્વના દેશોને અપીલ કરવા માગે છે કે ભારતને આવું કરવાથી રોકે. જો કે પાકિસ્તાન દ્વારા આ પ્રકારનો વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું હોય તેવું આ પહેલો કેસ નથી. અગાઉ પાકિસ્તાનના અગ્રણી અખબાર એક્સપ્રેસ ટ્રિબ્યુને પણ પોતાના લેખમાં લખ્યું છે કે કિસાન આંદોલન જેવા તેના આંતરિક મુદ્દાઓથી ધ્યાન હટાવવા માટે ભારત ફરી એક વખત સર્જિકલ સ્ટ્રાઈક કરી શકે છે. બીજી તરફ, પાકિસ્તાની ચેનલ જિઓ ન્યૂઝે લખ્યું છે કે પાકિસ્તાનની સેનાએ ભારતની સજ્જતાને ધ્યાનમાં રાખીને સરહદ પર તકેદારી વધારી છે.
આ પણ વાંચો: કોંગ્રેસના 99 ટકા કાર્યકર્તાઓ રાહુલ ગાંધીને બનાવવા માંગે છે અધ્યક્ષ: રણદીપ સુરજેવાલા