પાકિસ્તાને ભારતીય મીડિયાને આપી ઑફર, બાલાકોટ લઈ જશે
પાકિસ્તાને ભારતીય મીડિયાને આપી ઑફર, બાલાકોટ લઈ જશે
રાવલપિંડીઃ પાકિસ્તાની મિલિટ્રીએ સોમવારે ફરી એકવાર દાવો કર્યો છે કે બાલાકોટમાં 26 ફેબ્રુઆરીએ ભારતીય વાયુસેના તરફથી કોઈ પ્રકારની કોઈ એરસ્ટ્રાઈક થઈ હતી. આની સાથે જ પાકિસ્તાને કોઈપણ પ્રકારના નુકસાનનો પણ ઈનકાર કરી દીધો છે અને ભારતને ચેતવણી આપી છે કે તેઓ તેમના ધીરજની પરીક્ષા ન લે. બાલાકોટ, પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા અંતર્ગત આવે છે.

સાથે આવીને સત્ય જાણી લો
રાવલપિંડીમાં એક મીડિયા કોન્ફ્રેન્સને સંબોધિત કરતા પાકિસ્તાની મિલિટ્રીના મીડિયા વિંગના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે અહીં પર બાલાકોટને લઈ મહત્વનું નિવેદન આપ્યું છે. ગફૂરે ભારતીય મીડિયાને ઑફર આપી છે કે જો તેઓ ઈચ્છે તો બાલાકોટ ચાલીને સત્ય પોતાની આંખે જોઈ શકે છે.

26 ફેબ્રુઆરીએ થઈ હતી એરસ્ટ્રાઈક
14 ફેબ્રુઆરીને પુલવામામાં થયેલ આતંકી હુમલા બાદ આઈએએફે બાલાકોટ સ્થિત જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાને નિશાન બનાવવામાં આવ્યું હતું. બાલાકોટ, પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા અંતર્ગત આવે છે. પુલવામા આતંકી હુમલામાં 40 જવાન સીઆરપીએફના શહીદ થઈ ગયા હતા. જેના આગલા દિવસે પાકિસ્તાન તરફથી પણ પ્રતિક્રિયા આપવામાં આવી હતી.

પુલવામા હુમલામાં હાથ હોવાનો ઈનકાર
27 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના 24 જેટ્સ જમ્મુ અને કાશ્મીરમાં દાખલ થયાં હતાં. ગફૂરે કહ્યું કે ભાત વારંવાર જૂઠું બોલી રહ્યું છે અને પાકિસ્તાને કોઈપણ પ્રકારનો જવાબ આપ્યો નથી. તેમણે કહ્યું કે પાછલા બે મહિનામાં ભારતે કેટલાંય જૂઠ બોલ્યાં છે અને એક જવાબદાર દેશ હોવા બદલ અમે તેમના જૂઠનો જવાબ આપવો યોગ્ય નથી સમજતા. ગફૂરે એમ પણ કહ્યું કે પુલવામા આતંકી હુમલાથી પાકિસ્તાનને કંઈ લેવાદેવા નથી.

ભારતને ધમકી
સાથે જ પ્રધાનમંત્રી ઈમરાન ખાને સબૂતના આધાર પર હુમલાની તપાસ અને વાતચીતની રજૂઆત પણ કરી હતી. ગફૂરે ભારતના એફ-16 તોડી પાડવાના દાવાને પણ માનવાથી ઈનકાર કરી દીધો. તેમણે કહ્યું કે ભારતે ભૂલવું ન જોઈએ કે 1971ની જંગ બાદથી ચીજો એવી નથી રહી, જેને યુદ્ધ ખાતર ઈસ્ટ પાકિસ્તાનથી અલગ થઈ બાંગ્લાદેશ કર્યું હતું. આજે બધું જ બદલાઈ ગયું છે.












Click it and Unblock the Notifications
