પાકિસ્તાનના રાષ્ટ્રપતિએ કહ્યું કાશ્મીર મુદ્દે હસ્તક્ષેપ કરે યૂએન

તેમણે એમપણ કહ્યું કે વડાપ્રધાનમંત્રીના રૂપમાં નરેન્દ્ર મોદીના શપથગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે પાકિસ્તાની વડાપ્રધાનમંત્રી નવાજ શરીફની ગત અઠવાડિયે ભારત યાત્રા પડોશી દેશની સાથે શાંતિપૂર્ણ સંબંધ બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે. આ બીજા સંસદીય વર્ષની શરૂઆતમાં સંસદના બે સદનોની સંયુક્ત બેઠકમાં હુસૈનનું પ્રથમ સંબોધન હતું. પાકિસ્તાની બંધારણ હેઠળ નવા સંસદીય વર્ષની શરૂઆત રાષ્ટ્રાધ્યક્ષના સંબોધન સાથે થવી જોઇએ.
સત્તારૂઢ પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાજ (પીએમએલ-એન) સાથે સંબંધ ધરાવનાર હુસૈનના આતંકવાદનો ખાતમો કરવો અને અર્થવ્યવસ્થાનું નિર્માણ કરવાનો વાયદો પણ કર્યો. પાકિસ્તાની રાષ્ટ્રપતિએ ગત વર્ષ દરમિયાન સરકારની વિભિન્ન આર્થિક ઉપલબ્ધિઓને ઉજાગર કરી.
હજુ વધુ દિવસ થયા નથી જ્યારે પાકિસ્તાનના વડાપ્રધાનમંત્રી નવાજ શરીફ ભારતના વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર ભારત આવ્યા હતા અને તેમણે ઘણા મુદ્દે વાત કરી હતી. જતી વખતે નવાજ શરીફ કહી ગયા હતા કે આશા છે કે બંને દેશો વચ્ચે હાજર નકારાત્મક માહોલને ફક્ત શાંતિના માધ્યમથી ખતમ કરી શકાય છે. લાગે છે કે પાકિસ્તાનમાં હાજર બાકી લોકો નવાજ શરીફના સંદેશને સમજી શક્યા ન હતા. આ પહેલીવાર બન્યું નથી જ્યારે પાક તરફથી આ પ્રકારની કોઇ વાત કરવામાં આવી હોય. આ પહેલાં પણ તે ઘણા અવસરો પર આ પ્રકારની વાત કરી ચૂક્યા છે.
-
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે -
Zeenat Aman નો ખુલાસો: ફિલ્મ 'ડોન' ના આ સીનમાં અમિતાભ બચ્ચન સાથે પરસેવા છૂટી ગયા હતા -
'હું તેની બીજી પત્ની બની ગઈ', 79 વર્ષની પ્રખ્યાત અભિનેત્રીને પ્રેમમાં મળ્યો દગો, અધૂરા પ્રેમે હૃદય તોડી નાખ્યુ -
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026







Click it and Unblock the Notifications
