જે દુનિયા સામે ના સ્વીકાર્યુ તે પોતાના લશ્કરને કહ્યું નવાઝે
પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝશરીફ જે બુધવારે પાકની સંસદમાં ભારતને ઉરી હુમલાના દોષી અને પાકિસ્તાનને આતંકવાદથી પીડિત બતાવી રહ્યુ હતુ, તેણે હવે પોતાનુ વલણ બદલી દીધુ છે.નવાઝે સેનાને આદેશ આપ્યો છે કે તે આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરે અને તેમને ખતમ કરે. એટલુ જ નહિ નવાઝે પઠાણકોટ આતંકવાદી હુમલાની તપાસ પણ વહેલામાં વહેલી તકે પૂરી કરવાના આદેશ આપ્યા છે.

મુંબઇ હુમલાની તપાસના પણ આદેશ
નવાઝે ઑથોરિટીઝને એ પણ આદેશ આપ્યા છે કે તેઓ મુંબઇ હુમલાની અટકી ગયેલી તપાસને પણ ફરીથી શરુ કરે. સરકાર તરફથી સેનાને ચેતવણી આપવામાં આવી છે કે પાક હવે આંતરરાષ્ટ્રીય સ્તર પર એકલુ પડી જવા માટે મજબૂર છે એવામાં આતંકવાદીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવી પડશે. પાકના વર્તમાનપત્ર ધ ડૉને આ જાણકારી આપી છે.
આઇએસઆઇ સાથે બનાવશે રણનીતિ
ડૉનની માનીએ તો ઇન્ટર-સર્વિસીઝ ઇંટેલીજંસ ચીફ લૅફ્ટેનંટ જનરલ રિઝવાન અખ્તર અને પાકના નેશનલ સિક્યોરિટી એડવાઇઝર નસીર જંજુઆ ટૂંક સમયમાં પાકના ચાર પ્રાંતોની મુલાકાત લેશે અને આઇએસઆઇ સાથે મળી કોઇ રણનીતિ તૈયાર કરી શકે છે.
વિપક્ષે કર્યા નવાઝને મજબૂર
નવાઝે બુધવારે સંસદના સંયુક્ત સત્રને સંબોધ્યુ હતુ. તેમણે ત્યાં જે કંઇ પણ કહ્યું તે બાદ વિપક્ષે તેમને આઇનો બતાવી દીધો હતો.
વિપક્ષ તરફથી નવાઝને જણાવવામાં આવ્યુ કે પાકિસ્તાન કૂટનીતિ ક્ષેત્રે અસફળ થઇ ચૂક્યુ છે અને આજે દુનિયામાં એકલુ પડી ગયુ છે. ક્યાંકને ક્યાંક વિપક્ષે નવાઝને કડક વલણ અપનાવવા પર મજબૂર કર્યા હતા.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર





Click it and Unblock the Notifications
