પાકિસ્તાને જર્મનીમાં આલાપ્યો કાશ્મીર રાગ, ભારતે આપ્યો જડબાતોડ જવાબ
પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ જર્મનીની મુલાકાતે ગયા છે. અહી તેમણે ફરી પોતાની જમ્મુ-કાશ્મીરની ધૂન ગાવી છે. જમ્મુ-કાશ્મીર મુદ્દે પાકિસ્તાન અને જર્મનીના વિદેશ મંત્રીઓના પ્રેસ કોન્ફરન્સમાં આપેલા નિવેદન પર ભા
પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ જર્મનીની મુલાકાતે ગયા છે. અહી તેમણે ફરી પોતાની જમ્મુ-કાશ્મીરની ધૂન ગાવી છે. જમ્મુ-કાશ્મીર મુદ્દે પાકિસ્તાન અને જર્મનીના વિદેશ મંત્રીઓના પ્રેસ કોન્ફરન્સમાં આપેલા નિવેદન પર ભારતના વિદેશ મંત્રાલયે વળતો જવાબ આપ્યો છે. ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકવાદને ખતમ કરવા માટે ઈમાનદાર સભ્યોએ ભૂમિકા ભજવવી જોઈએ.

પાકિસ્તાનનો જર્મનીમાં કાશ્મીર રાગ
ભારતીય વિદેશ મંત્રાલયે કાશ્મીર મુદ્દે જર્મની અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. જર્મની અને પાકિસ્તાનના વિદેશ મંત્રીઓ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી પર વિદેશ મંત્રાલયે કહ્યું કે વિશ્વના મહત્વપૂર્ણ અને ઈમાનદાર સભ્યોએ આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકવાદને ખતમ કરવા માટે ભૂમિકા ભજવવી જોઈએ.

ભારતે આપ્યો કરારો જવાબ
મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બગાચીએ જણાવ્યું હતું કે વૈશ્વિક આતંકવાદને ખતમ કરવા માટે વૈશ્વિક સમુદાયના તમામ ગંભીર સભ્યોની ભૂમિકા અને જવાબદારી છે. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીર દાયકાઓથી આતંકવાદી કાર્યવાહીનો ભોગ બની રહ્યું છે.

જમ્મુ કાશ્મીરમાં આતંકી પ્રવૃતિઓ ચાલુ
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ વધુમાં કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં હજુ પણ આતંકવાદી ગતિવિધિઓ ચાલી રહી છે. વિદેશી નાગરિકો પણ આતંકવાદનો ભોગ બન્યા છે. અરિંદમ બાગચીએ વધુમાં જણાવ્યું હતું કે જ્યારે કોઈ રાષ્ટ્ર આવા જોખમોને ઓળખતું નથી, ત્યારે તે વ્યક્તિગત સ્વાર્થને કારણે શાંતિને અસર કરે છે.

આતંકવાદને ખત્મ કરવા કરે કામ
બાગચીએ કહ્યું કે આવા દેશો આતંકવાદને રોકવાની દિશામાં કોઈ પગલું ભરતા નથી. મંત્રાલયે વધુમાં કહ્યું કે પાકિસ્તાનને નિશાન બનાવતી વખતે આવા દેશો આતંકવાદનો ભોગ બનેલા લોકો સાથે પણ ઘોર અન્યાય કરે છે.

કાશ્મીરનો મુદ્દો ઉઠાવતુ રહેશે પાકિસ્તાન
યુએન સુરક્ષા પરિષદ અને FATF 26/11ના હુમલામાં પાકિસ્તાની આતંકવાદીઓની સંડોવણીની તપાસ કરી રહી છે, એમ વિદેશ મંત્રાલયના નિવેદનમાં જણાવાયું છે. વિદેશ મંત્રાલયનો આ જવાબ પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોના નિવેદન પર આવ્યો છે, જેમાં તેમણે જમ્મુ-કાશ્મીરમાં માનવાધિકાર ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો હતો. ભુટ્ટોએ બર્લિનમાં તેમના જર્મન સમકક્ષ અન્નાલેના બાર્બોક સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર વિવાદના શાંતિપૂર્ણ ઉકેલ વિના દક્ષિણ એશિયામાં શાંતિ શક્ય નથી. બિલાવલે કહ્યું હતું કે પાકિસ્તાન કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાનું ચાલુ રાખશે.
-
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન






Click it and Unblock the Notifications
