પાકિસ્તાને 45 ભારતીય માછીમારોને કર્યા આઝાદ

પાકિસ્તાનના કાર્યવાહક પ્રધાનમંત્રી મીર હજાર ખાન ખોસોએ સજા પૂરી કરી ચૂકેલા ભારતીય માછીમારોને મૂક્ત કરવા માટેનો નિર્ણય ગયા અઠવાડિયા પહેલા કર્યો હતો. અધિકારીયોએ કરાચી જેલથી 45 કેદીઓને આઝાદ કર્યા છે.
તેમણે પૂર્વી લાહોર જવા માટે બસ પકડી લીધી છે, જ્યાંથી તેમને વાઘા બોર્ડર દ્વારા ભારત પરત મોકલવામાં આવશે. પાકિસ્તાન સરકારના આ નિર્ણયથી માછીમારો ખૂબ જ ખુશ દેખાયા. પાકિસ્તાન અને ભારત, સમુદ્રી સીમા ઓળંગનાર માછીમારોની નિયમિતરીતે ધરપકડ કરે છે. ઘણા દિવસો સુધી ચાલેલી વાતચીત બાદ પણ બંને દેશો સમુદ્રી સીમા પર કોઇ નિર્ણય કરી શક્યા નથી.
વર્તમાનમાં પાકિસ્તાનની જેલમાં 482 ભારતીય કેદી તથા ભારતની જેલમાં 496 પાકિસ્તાની કેદી હાજર છે. ખોસોએ આ આદેશ દરમિયાન આશા વ્યક્ત કરી હતી કે ભારતમાં પણ આ રીતે અત્રેની જેલમાં સજા પૂરી કરી ચૂકેલા પાકિસ્તાની કેદીઓને સદભાવનાના આધારે મૂક્ત કરી દેશે. અધિકારીઓ અનુસાર પાકિસ્તાનના વિદેશ મંત્રીએ કેદીઓની આઝાદીના સંબંધમાં ભારત સાથે વાતચીત શરૂ કરી છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
