નરેન્દ્ર મોદીના નિવેદન પર પાકિસ્તાનનો આવ્યો વળતો જવાબ
ઇસ્લામાબાદ, 13 ઓગષ્ટ: પાકિસ્તાને ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એ નિવેદનને ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું છે જેમાં તેમણે પાકિસ્તાન પર ભારતની વિરુદ્ધ છદ્મ યુદ્ધ ચાલુ રાખવાનો આરોપ લગાવ્યો છે. વિદેશ મંત્રાલયની પ્રવક્તા તસનીમ અસલમે જણાવ્યું કે વડાપ્રધાન નવાજ શરીફ મે મહીનામાં મોદીના શપથ ગ્રહણ સમારંભમાં પડોશી દેશની સાથે સારા સંબંધ સ્થાપિત કરવાની ભાવના સાથે ગયા હતા.
નિવેદન અનુસાર 'આ પ્રવાસે દ્વિપક્ષીય સંબંધને નવી ગતી આપી હતી. આરોપ-પ્રત્યારોપના સ્થાને ક્ષેત્રીય શાંતિ માટે દૂરગામી હિતમાં હોત કે બંને દેશ વાતચીત દ્વારા મુદ્દાઓના સમાધાનની કોશી કરો અને મિત્રતા તથા સહયોગી સંબંધ બનાવવા માટે સાથે મળીને કામ કરો.'
અત્રે નોંધનીય છે કે મોદીએ લેહમાં ભારતીય સૈનિકોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે પાકિસ્તાન ભારતના નિર્દોષ લોકોની હત્યા કરી છદ્મ યુદ્ધ લડી રહ્યું છે, કારણ કે તેની પાસે પારંપરિક યુદ્ધ કરવાની ક્ષમતા નથી.

તેમણે જણાવ્યું કે આતંકવાદના કારણે પાકિસ્તાનના 55,000 નાગરિકોએ જીવ ગુમાવવા પડ્યા છે. અસલમે જણાવ્યું, પાકિસ્તાન આ સમાચારોથી સૌથી વધારે શિકાર થયું છે. પ્રવક્તાએ જણાવ્યું કે વિશ્વએ પાકિસ્તાનને અપ્રત્યાશિત બલિદાનને સ્વીકાર કર્યો છે, જે અમારા 5000 સુરક્ષા દળોએ શહાદત ભોગવી હતી. અમારા સુરક્ષા દળ દેશની સીમાને સુરક્ષિત કરવા અને કોઇ પણ પ્રકારની આક્રમકતાનો વિરોધ કરવા માટે હજી પણ તૈયાર છે.
અસલમે જણાવ્યું કે મીડિયા રિપોર્ટ અનુસાર, ભારત તરફથી એવો આરોપ લગાવવો ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે, વિશેષ કરીને તે સમયે જ્યારે પાકિસ્તાનના નેતૃત્વ ભારતની સાથે પડોશી સંબંધ બનાવવા માંગતું હોય. નવાજે મેમાં ભારતની યાત્રા એ ભાવના અને દ્વિપક્ષીય સંબંધને નવી ગતિ આપવા માટે કરી હતી.
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
