નથી મળી અમેરિકા તરફથી કોઇ ચેતવણી, જુઠ્ઠું છે ભારત: પાક
વોશિંગ્ટન, 20 જાન્યુઆરી: પાકિસ્તાને એ તમામ સમાચારોને ધરમૂડથી નકારી કાઢી છે જેમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાની ભારત યાત્રા પહેલા અમેરિકા તરફથી પાકિસ્તાનને કોઇ ચેતાવણી આપવામાં નથી આવી.
પાકિસ્તાને તેને ભારત તરફથી શરૂ કરવામાં આવેલો એક પ્રપોગેંડા વોર ગણાવ્યું છે. સોમવારે સમાચાર આવ્યા હતા કે અમેરિકાએ પાકિસ્તાનને કડક શબ્દોમાં જણાવ્યું છે કે જો ઓબામાની યાત્રા દરમિયાન સરહદ પારથી કોઇ હરકત થઇ તો તેનો અંજામ પાકિસ્તાને ભોગવવો પડશે.
પાકિસ્તાનના ન્યૂઝપેપર ધ ડૉને અમેરિકામાં પાક રાજદૂત જલીલ અબ્બાસના હવાલાથી સમાચાર છાપ્યા છે કે ભારતીય મીડિયાની આદત છે કે તેઓ વસ્તુઓને તોડી-મરોડીને જણાવે છે. જ્યારે વાસ્તવિકતા કંઇક બીજી જ હોય છે.
અબ્બાસે જણાવ્યું કે પાક તરફથી નોર્થ વજિરિસ્તાનમાં પાક સેનાનું ઓપરેશન ચાલી રહ્યું છે અને આ જ રીતે કાર્યવાહી દેશના અન્ય ભાગોમાં પણ જારી છે જેમાં આતંકવાદીઓની વિરુદ્ધ સખત પગલા ભરવામાં આવી રહ્યા છે.
ડૉને ભારતીય ન્યૂઝ પીટીઆઇનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે તેણે વોશિંગ્ટનથી રિપોર્ટ આપ્યા હતા કે અમેરિકાએ પાકિસ્તાનને ઓબામા પ્રવાસ પર કોઇ પણ પ્રકારની આતંકી કાર્યવાહી પર સખત અંજામ ભોગવવા તૈયાર રહેવા જણાવ્યું છે.
ત્યારબાદ પીટીઆઇના હવાલાથી આ સમાચાર આવ્યા કે પાકિસ્તાને અમેરિકાને વિશ્વાસ અપાવ્યો છે કે કોઇપણ પ્રકારના આતંકી હુમલાને પાકિસ્તાન તરફથી કોઇ અંજામ નહીં આપવામાં આવે.