338 ભારતીય કેદિયોને મુક્ત કરશે પાકિસ્તાન
મુંબઇ, 21 ઑગસ્ટ : પાકિસ્તાન 8 બાળકો સહિત 338 ભારતીય કેદિયોને મુક્ત કરવાની જાહેરાત કરી છે. આ તમામ લોકોને શનિવારે વાઘા-અટારી બોર્ડર પર પહોંચવાની આશા છે.
ભારત-પાકિસ્તાન શાંતિ કાર્યકર્તા જતિન દેસાઇએ પાકિસ્તાનના લીગલ એડ ઓફિસના પ્રતિનિધિ રિઝવાનુલ્લા જમીલ તરફથી એક પત્ર મેળવ્યો છે. દેસાઇએ બુધવારે જણાવ્યું કે કરાચીની બે જેલમાંથી ભારતીય કેદીઓ શુક્રવારે મુક્ત કરવામાં આવશે અને લાહૌરની વાઘા અને અમૃતસરની અટારી બોર્ડર સુધી આઠ વિશેષ બસોમાં પહોંચાડવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ ભારતીય કેદીઓને મુક્ત કરવાના સમાચાર એવા વખતે આવી રહ્યા છે, જ્યાં એકતરફ ભારત પાકિસ્તાન સરહદ પર તણાવભર્યું વાતાવર્ણ છે. છેલ્લા ઘણા દિવસથી પાકિસ્તાન દ્વારા સિઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ નવાઝ શરીફ દ્વારા શાંતિ અને ભાઇચારાની શીખામણ આપવામાં આવી રહી છે. આ પરથી પાકિસ્તાનના બેવડા વલણને સમજી શકાય છે.