પેરિસમાં પીએમ મોદી અને શરીફે કરી વાતચીત
ફ્રાંસની રાજધાની પેરિસમાં સોમવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન નવાજ શરી વચ્ચે થઇ ખાસ મુલાકાત. પેરિસમાં આજથી શરૂ થતા જલવાયુ પરિવર્તન કોન્ફોર્ન્સમાં આ બન્ને નેતાઓ મળ્યા હતા.
નોંધનીય છે કે શનિવારે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે કહ્યું હતું કે પાકિસ્તાન ભારત સાથે સશર્ત વાતચીત કરવા તૈયાર છે. ત્યારે બન્ને દેશોના નેતા ઉશ્માભેર એકબીજાને મળ્યા હતા. ત્યારે આ મુલાકાત અંગે રક્ષા વિશેષજ્ઞોએ જણાવ્યું હતું કે જો બન્ને નેતાઓ થોડીક વાર બેસીને વાતચીત કરે છે તો તેમાં કંઇ ખોટું નથી.

નવાજ શરીફ સાથે વાતચીત પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાંસના રાષ્ટ્રપતિ ફ્રાંસુઆ હોલાંદથી પણ મળ્યા હતા. જેમાં ફ્રાંસે ભારત સામે પોતાની ચિંતાઓને રાખી હતી અને ભારતમાં આઇએસઆઇએસના ખતરા અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.
ફ્રાંસનું કહેવું હતું કે આઇએસઆઇએસનું લક્ષ ટ્યૂનીશિયાથી લઇને બાંગ્લાદેશ સુધી પોતાનું સામ્રાજ્ય ફેલાવાનું છે. તેવામાં ભારત પર વધતા આ સંગઠનના ખતરાને નજરઅંદાજ કરાય તેવું નથી.












Click it and Unblock the Notifications
