NATOમાં ભારતની એન્ટ્રી કરવાની થઇ રહી છે તૈયારી, રશિયાના વિદેશ મંત્રીએ લગાવ્યો આરોપ
રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લવરોવે ગુરુવારે નાટો પર ભારતને રશિયા વિરોધી અને ચીન વિરોધી બ્લોકમાં ખેંચવાનો આરોપ લગાવ્યો હતો. રશિયાના વિદેશ મંત્રીએ કહ્યું કે નાટો અને પશ્ચિમી દેશો રશિયાના પ્રભાવને ઘટાડવા માટે ભારતનો ઉપયોગ ક
રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લવરોવે ગુરુવારે નાટો પર ભારતને રશિયા વિરોધી અને ચીન વિરોધી બ્લોકમાં ખેંચવાનો આરોપ લગાવ્યો હતો. રશિયાના વિદેશ મંત્રીએ કહ્યું કે નાટો અને પશ્ચિમી દેશો રશિયાના પ્રભાવને ઘટાડવા માટે ભારતનો ઉપયોગ કરવા માંગે છે. લવરોવે એમ પણ કહ્યું કે પશ્ચિમી દેશો ભારતને નાટોમાં સામેલ કરીને ચીન સાથે તણાવ વધારવા માંગે છે, પરંતુ તેમનો વાસ્તવિક ઉદ્દેશ્ય ભારતને રશિયાથી અલગ કરવાનો છે. મૂળભૂત રીતે તેઓ રશિયા માટે ખતરો ઉભો કરવા માંગે છે.

ચીન સાથે ટક્કર લઇ આગળ જઇ રહ્યું છે NATO
પ્રેસ કોન્ફરન્સમાં રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવે કહ્યું કે યુક્રેનની જેમ નાટો અને પશ્ચિમી દેશો દક્ષિણ ચીન સાગરના બહાને ચીનની નજીકનું વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે રશિયા માટે પણ ખતરો છે. આ વિસ્તાર રશિયન કિનારાની નજીક છે. તેમણે એમ પણ કહ્યું કે નાટો દક્ષિણ ચીન સાગર અને તાઈવાનમાં તણાવ વધારીને આગ સાથે રમી રહ્યું છે. તેમણે કહ્યું કે નાટોએ યુક્રેનમાં પણ આવું જ કર્યું. નાટો દક્ષિણ ચીન સાગરમાં તણાવ વધારવામાં વ્યસ્ત છે, જેથી રશિયાની ઘેરાબંધી અને મુશ્કેલીઓ વધી શકે છે.

નાટોને કારણે વધી રહ્યો છે લશ્કરી સહયોગ
સર્ગેઈ લવરોવે એમ પણ કહ્યું કે ચીન આ ઉશ્કેરણીઓને ગંભીરતાથી લે છે. તેમણે કહ્યું કે રશિયા અને ચીન વચ્ચે સૈન્ય સહયોગ વધારવાનું એક કારણ દક્ષિણ ચીન સાગરમાં બગડતી સ્થિતિ છે. તેણે યુએસ તેમજ ઓસ્ટ્રેલિયા અને યુકેનું નામ લીધા વિના AUKUS સંસ્થાને પણ નિશાન બનાવ્યું હતું. AUKUS એ ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર સંબંધિત સુરક્ષા કરાર છે. તેની રચના પર ચીને પણ નારાજગી વ્યક્ત કરી છે.

ક્રાઈમ ટ્રિબ્યુનલ રચવાની દરખાસ્તની ટીકા કરી હતી
રશિયાએ યુદ્ધ ક્રાઇમ ટ્રિબ્યુનલની રચના કરવાના યુરોપિયન યુનિયનના પ્રસ્તાવની પણ ટીકા કરી છે. સર્ગેઈ લાવરોવે કહ્યું કે યુક્રેન યુદ્ધ પર રચવામાં આવેલી આવી કોઈપણ ટ્રિબ્યુનલ રશિયાને સ્વીકાર્ય નહીં હોય. આ પહેલા યુરોપિયન યુનિયનના પ્રમુખ ઉર્સુલા લેયેને બુધવારે કહ્યું હતું કે યુનાઇટેડ નેશન્સની અધ્યક્ષતામાં યુરોપિયન યુનિયન એક વિશેષ અદાલતની સ્થાપના કરશે જેમાં યુક્રેનના યુદ્ધ અપરાધોની તપાસ કરવામાં આવશે.

પ્રાઇઝ કેપનો રશિયાએ કર્યો વિરોધ
આ સાથે લવરોવે રશિયાના તેલની નિકાસ પર પ્રસ્તાવિત કિંમત મર્યાદાનો પણ વિરોધ કર્યો હતો. તેણે કહ્યું કે અમને તેનો કોઈ ડર નથી. અમે આ અંગે ભારત અને ચીન જેવા સાથી દેશો સાથે વાત કરીશું. કોઈ તૃતીય પક્ષ સજા આપવાનું નક્કી કરી શકે નહીં. જણાવી દઈએ કે રશિયા-યુક્રેન યુદ્ધના 9 મહિના પૂર્ણ થયા છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 13 હજારથી વધુ યુક્રેનિયન સૈનિકો માર્યા ગયા છે. યુક્રેનના અધિકારીઓએ આ અંગે માહિતી આપી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીના સલાહકાર મિખાઈલો પોડોલ્યાકે આ માહિતી આપી હતી.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
