ભારતની કોશિશોથી ગભરાયેલા પાક પીએમ ઈમરાન ખાન લઈ રહ્યા છે મહત્વના નિર્ણયો
14 ફેબ્રુઆરીના રોજ જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ પાકિસ્તાન પર સતત આંતરરાષ્ટ્રીય દબાણ વધી રહ્યુ છે.
14 ફેબ્રુઆરીના રોજ જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ પાકિસ્તાન પર સતત આંતરરાષ્ટ્રીય દબાણ વધી રહ્યુ છે. આ વાત સમજી જઈને લાગે છે કે હવે પાકિસ્તાન એક્શન મોડમાં આવી ગયુ છે. ભારતની કોશિશો હવે ધીમે ધીમે પરંતુ સાચી સાબિત થતી જોવા મળી રહી છે. ગુરુવારે પ્રધાનમંત્રી ઈમરાન ખાન તરફથી રાષ્ટ્રીય સુરક્ષા પર એક સમિતિની મીટિંગની અધ્યક્ષતા કરવામાં આવી હતી. આ મીટિંગમાં હાફિઝ સઈદની સંસ્થા જમાત-ઉદ-દાવા અને ફલાહ એ ઈંસાનિયત પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો. બંને સંસ્થાઓને આતંકી ગતિવિધિઓના કારણે પ્રતિબંધિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ઈમરાને આપ્યા આદેશ
સૂત્રોની માનીએ તો પાક પીએમ ઈમરાન ખાન તરફથી રાષ્ટ્રીય સુરક્ષા સમિતિને કહેવામાં આવ્યુ છે કે એ બધા લોકો સામે એક્શન લેવામાં આવે જે પાકિસ્તાનની જમીનનો ઉપયોગ આતંકવાદ માટે કરી રહ્યા છે. ભારત સતત પાક પર રાજકીય દબાણ કરી રહ્યુ છે. પાકિસ્તાનના એમએફએન એટલે કે મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો લઈ લેવામાં આવ્યો છે. પાકિસ્તાનથી આવનારા સામાન પર 200 ટકા સુધીનુ કસ્ટમ ડ્યુટી લગાવી દેવામાં આવી છે. પુલવામા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે અળગુ કરવા માટેના ઘણા પ્રયાસો કર્યા છે. ભારતે પાકિસ્તાન પાસેથી મોસ્ટ ફેવર્ડ નેશન્સનો પણ દરજ્જો પાછો લઈ લીધો છે.
ઘણા દેશોએ કરી પાકની નિંદા
કહેવામાં આવી રહ્યુ છે કે ઈમરાને આતંકવાદ અને કટ્ટરપંથીને ખતમ કરવાની રીતો પર પણ ચર્ચા કરી છે. પુલવામા હુમલા બાદ ભારતની કોશિશોના કારણે ઘણા દેશોએ હુમલાની નિંદા કરી એટલુ જ નહિ પરંતુ આકરી પ્રતિક્રિયા પણ આપી. અમેરિકાએ તો પાકિસ્તાનની ઝાટકણી કાઢતા કહ્યુ છે કે તેને આતંકીઓ સામે એક્શન લેવી પડશે. આ ઉપરાંત રશિયા, ફ્રાંસ, બ્રિટન અને આ પ્રકારના તમામ દેશો તરફથી પાકમાં હાજર આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદને જવાબદાર ગણવા અને પ્રતિબંધિત કરવાની માંગ કરવામાં આવી છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
