રાજીવ ગાંધી હત્યાકાંડમાં દોષિત શ્રીલંકન નાગરિક સંથનનુ હૉસ્પિટલમાં મોત, જાણો કોણ હતો, એણે શું કર્યુ હતુ?
Rajiv Gandhi Assassination Case: ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યામાં દોષિત શ્રીલંકાના નાગરિક સંથનનું હૉસ્પિટલમાં મૃત્યુ થયું છે. રાજીવ ગાંધી હત્યા કેસમાં દોષિત ઠેરવવામાં આવેલા અને બાદમાં મુક્ત કરવામાં આવેલા સંથનનું અવસાન થયું છે તેમ હૉસ્પિટલના એક અધિકારીએ બુધવારે જણાવ્યું હતું.
સંથન ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યામાં દોષિત શ્રીલંકન નાગરિક હતો અને તેને 2022માં મુક્ત કરવામાં આવ્યો હતો. લગભગ 15 દિવસ પહેલા, તમિલનાડુ સરકારે મદ્રાસ હાઈકોર્ટને કહ્યું હતું કે ચેન્નાઈમાં શ્રીલંકાના ડેપ્યુટી હાઈ કમિશને સંથનને અસ્થાયી મુસાફરી દસ્તાવેજ જાહેર કર્યો હતો.

સંથનનું આખું નામ સુતેન્દ્રરાજા ટી ઉર્ફે સંથન હતું અને તેની મુક્તિ પછી તેને તિરુચિરાપલ્લીમાં વિશેષ શિબિરમાં રાખવામાં આવ્યો હતો.
સંથનનું મૃત્યુ કેવી રીતે થયું?
સંથન એ સાત આરોપીઓમાંનો એક હતો જેમને 1991માં ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યા માટે 20 વર્ષથી વધુની જેલની સજા ફટકારવામાં આવી હતી અને 2022માં સુપ્રીમ કોર્ટે તેમને મુક્ત કર્યા હતા. રાજીવ ગાંધી સરકારી જનરલ હૉસ્પિટલના ડીન ઇ થેરાનીરાજને જણાવ્યું હતું કે સંથનનું સવારે 7.50 વાગ્યે મૃત્યુ થયું હતું.
સંથન હૉસ્પિટલમાં "લિવર ફેલ્યોર" માટે સારવાર લઈ રહ્યો હતો. થેરાનીરાજને પત્રકારોને જણાવ્યું હતું કે બુધવારે સવારે 4 વાગ્યાની આસપાસ તેને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો પરંતુ CPR (કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન) પ્રક્રિયા બાદ તેને બચાવી લેવામાં આવ્યો હતો અને ત્યારથી તે વેન્ટિલેટર પર હતો. જો કે, સંથન પર સારવારની કોઈ અસર થઈ નહોતીઅને આજે સવારે 7.50 વાગ્યે તેનું મૃત્યુ થયું હતું. તેમણે કહ્યું કે, "પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવશે. મૃતદેહને શ્રીલંકા મોકલવા માટે કાનૂની વ્યવસ્થા ચાલી રહી છે,"
ડીને જણાવ્યું હતું કે, 27 જાન્યુઆરીએ તિરુચિરાપલ્લીમાં એક વિશેષ શિબિરમાંથી મૃતક સંથનને "લિવર ફેલ્યોર" ના કારણે ચેન્નાઈની એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
અગાઉ ફાંસીની સજા આપવામાં આવી હતી
જોકે 1991માં ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યામાં સામેલ થવા બદલ સંથનને શરૂઆતમાં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી, પરંતુ પાછળથી તેની સજાને આજીવન કેદમાં ફેરવવામાં આવી હતી. 32 વર્ષથી વધુ જેલમાં વિતાવ્યા પછી, તે નવેમ્બર 2022માં અન્ય પાંચ દોષિતો સાથે મુક્ત થયો હતો.
મુક્તિ પછી, તમામ દોષિતોને ત્રિચી સેન્ટ્રલ જેલ સંકુલમાં એક વિશેષ કેમ્પમાં રાખવામાં આવ્યા હતા, કારણ કે તેઓ શ્રીલંકાના નાગરિક હતા પરંતુ તેમની પાસે પાસપોર્ટ ન હતા. સંથને તેની વૃદ્ધ માતા સાથે પુનઃ મળવા માટે શ્રીલંકા પ્રવાસની સુવિધા આપવા માટે મદ્રાસ હાઈકોર્ટમાં અરજી કરી હતી.
-
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ -
Petrol Diesel Price: 20 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો












Click it and Unblock the Notifications
