વર્ષ 2021માં રેકૉર્ડ સંખ્યામાં પત્રકારોને જેલમાં નાખવામાં આવ્યા
વર્ષ 2021માં 46 પત્રકારો માર્યા ગયા અને દુનિયાભરમાં હાલમાં 488 મીડિયાકર્મીઓ જેલોમાં બંધ છે.
નવી દિલ્લીઃ રિપોર્ટર્સ વિધાઉટ બૉર્ડર્સ(આરએસએફ)એ ગુરુવારે જણાવ્યુ કે વર્ષ 2021માં 46 પત્રકારો માર્યા ગયા અને દુનિયાભરમાં હાલમાં 488 મીડિયાકર્મીઓ જેલોમાં બંધ છે. આંતરરાષ્ટ્રીય સંસ્થા રિપોર્ટર્સ વિધાઉટ બૉર્ડર્સ દર વર્ષે પત્રકારો વિશે પોતાનો રિપોર્ટ જાહેર કરે છે. તેના જણાવ્યા મુજબ છેલ્લા 25 વર્ષોમાં માર્યા ગયેલા પત્રકારોની સંખ્યા આ વર્ષે સૌથી ઓછી છે. તેણે આનુ કારણ મધ્ય પૂર્વમાં સંઘર્ષમાં સ્થિરતાને ગણાવ્યુ છે.

પ્રેસની સ્વતંત્રતા માટે સંઘર્ષ કરનાર એનજીઓએ એક નિવેદનમાં કહ્યુ, '1995માં આરએસએફએ પોતાના વાર્ષિક આંકડા જાહેર કર્યા બાદથી પોતાના કામ માટે ધરપકડ કરાયેલ પત્રકારોની સંખ્યા એટલુ વધુ ક્યારેય નથી રહી.' મ્યાનમાર, બેલારુસ અને હોંગકોંગમાં મીડિયા પર કાર્યવાહીના કારણે ગયા વર્ષે આ સંખ્યા લગભગ 20 ટકા વધી છે.
આરએસએફે કહ્યુ કે તેણે ક્યારેય પણ આટલી વધુ મહિલા પત્રકારોની ધરપકડ નથી જોઈ. જેમની કુલ સંખ્યા 60 છે. ચીન 127 પત્રકારોને જેલમાં બંધ કરવા સાથે સૌથી ઉપર છે. હોંગકોંગમાં ચીની સરકારની કાર્યવાહીમાં પણ તેજી થઈ છે. આ વર્ષે જૂનમાં લોકતંત્ર સમર્થક વર્તમાનપત્ર ડેઈલીની ઑફિસમાં રેડ પાડવામાં આવી અને તેના સંપાદકો તેમજ પત્રકારોની ધરપકડ કરવામાં આવી. ત્યારબાદ વર્તમાનપત્ર બંધ થઈ ગયુ હતુ. મ્યાનમારમાં પણ 53 પત્રકારોને જેલમાં બંધ કરવામાં આવ્યા. ત્યારબાદ વિએટનામમાં 43, બેલારુસમાં 32 અને સઉદી અરબમાં 31 પત્રકારોને જેલોમાં નાખવામાં આવ્યા.
ભારતમાં પણ ઘણા પત્રકારો ઉપર કેસ નોંધાતા આવ્યા છે. ઘણા પત્રકારોને રિપોર્ટીંગ માટે ધરપકડ સુધીનો સામનો કરવો પડ્યો છે. રાજ્ય સરકારની ટીકા કરનાર પત્રકારો પર હુમલા પણ થયા છે. પત્રકારો ઉપર રાજદ્રોહ જેવા ગંભીર કેસ કરવા પર સુપ્રીમ કોર્ટ પણ ચિંતા વ્યક્ત કરી ચૂક્યુ છે.
-
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
LPG Shortage: એલપીજી સંકટ વચ્ચે સરકારનું મોટું નિવેદન, જાણો હવે કેવી રીતે થશે ગેસ બુક? -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ












Click it and Unblock the Notifications
