કેનેડામાં એફબીઆઈ અધિકારીઓઓ ખાલિસ્તાનીઓ સાથે મુલાકાત કરી હોવાનો ખુલાસો, જાણો રિપોર્ટમાં શું સામે આવ્યુ?
ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચે સતત સંબંધો બગડી રહ્યા છે ત્યારે હવે એક મોટો ખુલાસો થયો છે. નિજ્જરની હત્યા બાદ એફબીઆઈએ ખાલિસ્તાનીઓ સાથે મુલાકાત કરી હોવાનુ સામે આવ્યુ છે.
એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન એટલે કે FBI ના કેટલાક એજન્ટ અમેરિકામાં ખાલિસ્તાની આતંકીઓને મળ્યા હતા અને એલર્ટ કર્યા હતા.

ધ ઈન્ટરસેપ્ટના આ રિપોર્ટમાં દાવો કરાયો છે કે એફબીઆઈ એજન્ટોએ તેમની મીટિંગ દરમિયાન ખાલિસ્તાનીઓને ચેતવણી આપી હતી કે તેમનો જીવ જોખમમાં હોઈ શકે છે. એફબીઆઈએ હજુ સુધી આ રિપોર્ટ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.
આ રિપોર્ટમાં દાવો કરાયો છે કે અમેરિકન શીખ કોકસ કમિટીના સંયોજક પ્રિતપાલ સિંઘે ધ ઈન્ટરસેપ્ટને જણાવ્યું કે નિજ્જરની હત્યા બાદ તેને અને કેલિફોર્નિયામાં અન્ય બે શીખોને એફબીઆઈ તરફથી ફોન આવ્યો હતો અને તેમને મળવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.
પ્રીતપાલ સિંહે કહ્યું કે, જૂન 2023 ના અંતમાં મને FBIના બે વિશેષ એજન્ટો મળ્યા અને મને કહ્યું કે તેમને માહિતી મળી છે કે મારા જીવને જોખમ છે. તેમણે ઉમેર્યું કે, તેઓએ અમને સ્પષ્ટપણે જણાવ્યું ન હતું કે ધમકી ક્યાંથી આવી રહી છે, પરંતુ તેઓએ કહ્યું કે મારે સાવચેત રહેવું જોઈએ.
બે અન્ય અમેરિકન શીખોએ નામ ન આપવાની શરતે જણાવ્યુ છે કે, તેમને પણ એફબીઆઈ એજન્ટ મળ્યા હતા. પ્રતિબંધિત ખાલિસ્તાન ટાઈગર ફોર્સના વડા હરદીપ સિંહ નિજ્જરને 18 જૂન 2023 ના રોજ કેનેડામાં ગુરુદ્વારાની બહાર બે અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચે સંબંધો બગડ્યા છે.
કેનેડાની સંસદમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું હતું કે નિજ્જરની હત્યામાં ભારતની ભૂમિકા હોઈ શકે છે. જો કે ભારતે કેનેડાના આરોપોને ફગાવી દીધા છે. ભારતે કેનેડાના આરોપોને વાહિયાત ગણાવ્યા છે. કેનેડામાં ભારતીય અધિકારીને હટાવવાના જવાબમાં ભારતે પણ કેનેડિયન રાજદ્વારીને હાંકી કાઢ્યા છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
