North Korea Nuclear Missile Test : ઉત્તર કોરિયાના મિસાઇલ ટેસ્ટને કારણે ચીન-જાપાનમાં રેડિએશનનું જોખમ
North Korea Nuclear Missile Test : રેડિયેશન લોકોને પીવાના પાણી, ખેતી પર અસર કરી શકે છે. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, રેડિયેશનની અસર દક્ષિણ કોરિયા, ચીન, જાપાનના લોકો પર પણ પડી શકે છે.
North Korea Nuclear Missile Test : ઉત્તર કોરિયા દ્વારા ગત દિવસોમાં જમીનની અંદર કરવામાં આવેલા ન્યુક્લિયર મિસાઇલ ટેસ્ટને કારણે ઉત્તર કોરિયા, દક્ષિણ કોરિયા, ચીન અને જાપાનમાં લાખો લોકો રેડિએશનથી પ્રભાવિત થઇ શકે છે. સિઓલ સ્થિત એકમાનવઅધિકાર સંગઠન દ્વારા મંગળવારના રોજ એક રિપોર્ટ જાહેર કરી આ જાણકારી આપવામાં આવે છે.

આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પરમાણુ પરીક્ષણને કારણે જમીનની અંદર હાજર પીવાના પાણીમાં રેડિયેશનનું સ્તર અનેકગણું વધી ગયું છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકા અને દક્ષિણ કોરિયાની સરકારો અનુસાર, 2006 થી 2017 વચ્ચે ઉત્તર કોરિયાએ ઉત્તર હમગ્યોંગ પ્રાંતના પહાડોમાં 6 વખત પરમાણુ પરીક્ષણ કર્યું હતું.
હવે ટ્રાન્ઝિશનલ જસ્ટિસ વર્કિંગ ગ્રુપે પોતાના અભ્યાસમાં દાવો કર્યો છે કે, આ રેડિયેશન હેમગ્યોંગ પ્રાંતની આસપાસના આઠ શહેરોમાં ફેલાઈ શકે છે. જેના કારણે ઉત્તર કોરિયાના લગભગ 10 લાખ લોકો પ્રભાવિત થઈ શકે છે. આ રેડિયેશન પીવાના પાણી, ખેતી કરતા લોકોને અસર કરી શકે છે.
કિરણોત્સર્ગની અસર દક્ષિણ કોરિયા, ચીન, જાપાનના લોકો પર પડી શકે છે
રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, કિરણોત્સર્ગની અસર દક્ષિણ કોરિયા, ચીન, જાપાનના લોકો પર પણ પડી શકે છે. કારણ કે, જે વિસ્તારો રેડિયેશનથી પ્રભાવિત થશે, તેમના કૃષિ ઉત્પાદન અને માછલી ઉત્પાદનોને દાણચોરી દ્વારા આ દેશોમાં મોકલવામાં આવે છે.
અત્રે નોંધનીય છે કે, જે માનવાધિકાર સંગઠને આ રિપોર્ટ તૈયાર કર્યો છે, તેની સ્થાપના વર્ષ 2014માં થઈ હતી. ઘણા ન્યુક્લિયર અને મેડિકલ એક્સપર્ટ આ સંસ્થા સાથે જોડાયેલા છે.
આ સંસ્થા ઈન્ટેલિજન્સ ઈનપુટ્સ અને જાહેરમાં ઉપલબ્ધ માહિતીના આધારે તેના અહેવાલો તૈયાર કરે છે. આ સંસ્થા નેશનલ એન્ડોમેન્ટ ફોર ડેમોક્રેસી દ્વારા સંચાલિત છે, જે યુએસ કોંગ્રેસના બિન-લાભકારી કોર્પોરેશન છે.
ચીનથી આયાત કરાયેલા મશરૂમ્સમાં 9 ગણું વધુ રેડિયેશન જોવા મળ્યું
વર્ષ 2015માં જ દક્ષિણ કોરિયાની ફૂડ સેફ્ટી એજન્સીને ચીનથી આયાત કરાયેલા મશરૂમ્સમાં 9 ગણું વધુ રેડિયેશન જોવા મળ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું કે, આ મશરૂમ ખરેખર ઉત્તર કોરિયાથી ચીનમાં દાણચોરી કરીને ત્યાંથી દક્ષિણ કોરિયા પહોંચ્યા હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચીન અને જાપાને પણ રેડિયેશનનો સામનો કરવા માટે વ્યવસ્થા મજબૂત કરી છે. નિષ્ણાતો કહે છે કે, રેડિયેશનના કારણે લોકો કેન્સર વગેરે જેવી અનેક બીમારીઓના ભરડામાં આવી શકે છે.












Click it and Unblock the Notifications
