પાકિસ્તાને સલમાન ખાનને આતંકવાદી જાહેર કર્યો, જાણો કેમ?
બોલીવુડ અભિનેતા સલમાન ખાન હાલમાં એક આંતરરાષ્ટ્રીય વિવાદનું કેન્દ્ર બન્યા છે. તાજેતરમાં સાઉદી અરેબિયામાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે બલૂચિસ્તાનનો ઉલ્લેખ પાકિસ્તાનથી અલગ એક દેશ તરીકે કર્યો હતો. આ નિવેદન બાદ પાકિસ્તાન સરકારમને મરચા લાગ્યા છે.
શહેબાઝ સરકારે આ નિવેદનને ગંભીરતાથી લઈને સલમાન ખાનને આતંકવાદી જાહેર કર્યા છે. પાકિસ્તાનના ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી એક સત્તાવાર સૂચના મુજબ, સલમાન ખાનને એન્ટી-ટેરરિઝમ એક્ટ હેઠળ ફોર્થ શેડ્યૂલમાં શામેલ કરવામાં આવ્યા છે, જેનો અર્થ છે કે તેમની સામે પાકિસ્તાનમાં કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.

જો કે, સલમાન ખાન કે તેમના પ્રતિનિધિઓ તરફથી આ સંવેદનશીલ મામલે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
આ સંપૂર્ણ મામલો સલમાન ખાનના સાઉદી અરેબિયામાં આયોજિત 'જોય ફોરમ 2025'માં આપેલા ભાષણ સાથે સંબંધિત છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં સલમાન એવું કહેતા સાંભળવા મળે છે કે, "આ બલૂચિસ્તાનના લોકો છે, અફઘાનિસ્તાનના લોકો છે, પાકિસ્તાનના લોકો છે, દરેક વ્યક્તિ સાઉદી અરેબિયામાં મહેનતથી કામ કરી રહ્યા છે.
આ નિવેદનમાં તેમણે બલૂચિસ્તાનનું નામ પાકિસ્તાનથી અલગ લીધું હતું. પાકિસ્તાન સરકારે તેને પોતાની સાર્વભૌમત્વ પર હુમલો ગણીને સખત વાંધો ઉઠાવ્યો. ગૃહ વિભાગે તેમને 'ફોર્થ શેડ્યૂલ'માં શામેલ કરીને આતંકવાદી જાહેર કર્યા છે, જેના કારણે પાકિસ્તાનમાં તેમની સામે કાયદેસરની કાર્યવાહીનો માર્ગ ખુલી ગયો છે.
'પાકિસ્તાનનું 'ફોર્થ શેડ્યૂલ' એન્ટી-ટેરરિઝમ એક્ટ હેઠળ બનાવવામાં આવેલી એક સૂચિ છે. તેમાં એવા વ્યક્તિઓના નામ શામેલ કરવામાં આવે છે જેમના પર આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હોવા અથવા તેમને સમર્થન આપવાનો શંકા હોય.
આ સૂચિમાં શામેલ કોઈપણ વ્યક્તિ પર પાકિસ્તાનમાં મુસાફરી પ્રતિબંધો લગાવી શકાય છે, તેની સંપત્તિ જપ્ત કરી શકાય છે, અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી શકાય છે. સલમાન ખાનને આ સૂચિમાં શામેલ કરવું એક અત્યંત ગંભીર પગલું છે, જે તેમના નિવેદનના આંતરરાષ્ટ્રીય રાજકીય પરિણામો દર્શાવે છે.
જોય ફોરમ 2025માં બોલતા સલમાન ખાનનો જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, તેમાં તેઓ વિવિધ દેશોના મહેનતુ લોકોનો ઉલ્લેખ કરી રહ્યા હતા. તેમણે કહ્યું, "આ બલૂચિસ્તાનના લોકો છે, અફઘાનિસ્તાનના લોકો છે, પાકિસ્તાનના લોકો છે, દરેક વ્યક્તિ સાઉદી અરેબિયામાં મહેનતથી કામ કરી રહ્યા છે."
આ નિવેદનમાં 'બલૂચિસ્તાન'ને 'પાકિસ્તાન'થી અલગ જણાવવું એ જ વિવાદનું મુખ્ય કારણ બની ગયું. તે સ્પષ્ટ નથી કે સલમાને ઇરાદાપૂર્વક આવું કર્યું કે આ અજાણતા થયેલી ભૂલ હતી.
જ્યાં પાકિસ્તાન સરકાર આ નિવેદનથી નારાજ છે, ત્યાં બલૂચિસ્તાનની સ્વતંત્રતાની માંગ કરનારા અલગતાવાદી નેતાઓ આના પર ખુશી વ્યક્ત કરી રહ્યા છે. બલૂચિસ્તાનને સ્વતંત્ર દેશ બનાવવાની માંગ કરનારા નેતા મીર યાર બલૂચે સલમાન ખાનનો આભાર માનતા કહ્યું કે, સાઉદી અરેબિયામાં ભારતીય ફિલ્મ જગતના દિગ્ગજ સલમાન ખાન દ્વારા બલૂચિસ્તાનનો ઉલ્લેખ છ કરોડ બલૂચ નાગરિકો માટે ખુશી લઈને આવ્યો છે."
તેમણે આગળ કહ્યું કે સલમાને આવું કરીને સાંસ્કૃતિક માન્યતાના સંકેતો આપ્યા છે જે સૌમ્ય રાજદ્વારીનું શક્તિશાળી માધ્યમ છે, જે લોકોના દિલ જોડે છે અને દુનિયાને બલૂચિસ્તાનને અલગ રાષ્ટ્ર તરીકે માન્યતા આપવા માટે પ્રેરિત કરે છે. આ નિવેદન દર્શાવે છે કે આ વિવાદ ફક્ત એક ફિલ્મ સ્ટારના નિવેદન પૂરતો સીમિત નથી, પરંતુ તેના ઊંડા ભૌગોલિક-રાજકીય અસરો પણ છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
