પાકિસ્તાને સલમાન ખાનને આતંકવાદી જાહેર કર્યો, જાણો કેમ?
બોલીવુડ અભિનેતા સલમાન ખાન હાલમાં એક આંતરરાષ્ટ્રીય વિવાદનું કેન્દ્ર બન્યા છે. તાજેતરમાં સાઉદી અરેબિયામાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે બલૂચિસ્તાનનો ઉલ્લેખ પાકિસ્તાનથી અલગ એક દેશ તરીકે કર્યો હતો. આ નિવેદન બાદ પાકિસ્તાન સરકારમને મરચા લાગ્યા છે.
શહેબાઝ સરકારે આ નિવેદનને ગંભીરતાથી લઈને સલમાન ખાનને આતંકવાદી જાહેર કર્યા છે. પાકિસ્તાનના ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી એક સત્તાવાર સૂચના મુજબ, સલમાન ખાનને એન્ટી-ટેરરિઝમ એક્ટ હેઠળ ફોર્થ શેડ્યૂલમાં શામેલ કરવામાં આવ્યા છે, જેનો અર્થ છે કે તેમની સામે પાકિસ્તાનમાં કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.

જો કે, સલમાન ખાન કે તેમના પ્રતિનિધિઓ તરફથી આ સંવેદનશીલ મામલે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
આ સંપૂર્ણ મામલો સલમાન ખાનના સાઉદી અરેબિયામાં આયોજિત 'જોય ફોરમ 2025'માં આપેલા ભાષણ સાથે સંબંધિત છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં સલમાન એવું કહેતા સાંભળવા મળે છે કે, "આ બલૂચિસ્તાનના લોકો છે, અફઘાનિસ્તાનના લોકો છે, પાકિસ્તાનના લોકો છે, દરેક વ્યક્તિ સાઉદી અરેબિયામાં મહેનતથી કામ કરી રહ્યા છે.
આ નિવેદનમાં તેમણે બલૂચિસ્તાનનું નામ પાકિસ્તાનથી અલગ લીધું હતું. પાકિસ્તાન સરકારે તેને પોતાની સાર્વભૌમત્વ પર હુમલો ગણીને સખત વાંધો ઉઠાવ્યો. ગૃહ વિભાગે તેમને 'ફોર્થ શેડ્યૂલ'માં શામેલ કરીને આતંકવાદી જાહેર કર્યા છે, જેના કારણે પાકિસ્તાનમાં તેમની સામે કાયદેસરની કાર્યવાહીનો માર્ગ ખુલી ગયો છે.
'પાકિસ્તાનનું 'ફોર્થ શેડ્યૂલ' એન્ટી-ટેરરિઝમ એક્ટ હેઠળ બનાવવામાં આવેલી એક સૂચિ છે. તેમાં એવા વ્યક્તિઓના નામ શામેલ કરવામાં આવે છે જેમના પર આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હોવા અથવા તેમને સમર્થન આપવાનો શંકા હોય.
આ સૂચિમાં શામેલ કોઈપણ વ્યક્તિ પર પાકિસ્તાનમાં મુસાફરી પ્રતિબંધો લગાવી શકાય છે, તેની સંપત્તિ જપ્ત કરી શકાય છે, અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી શકાય છે. સલમાન ખાનને આ સૂચિમાં શામેલ કરવું એક અત્યંત ગંભીર પગલું છે, જે તેમના નિવેદનના આંતરરાષ્ટ્રીય રાજકીય પરિણામો દર્શાવે છે.
જોય ફોરમ 2025માં બોલતા સલમાન ખાનનો જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, તેમાં તેઓ વિવિધ દેશોના મહેનતુ લોકોનો ઉલ્લેખ કરી રહ્યા હતા. તેમણે કહ્યું, "આ બલૂચિસ્તાનના લોકો છે, અફઘાનિસ્તાનના લોકો છે, પાકિસ્તાનના લોકો છે, દરેક વ્યક્તિ સાઉદી અરેબિયામાં મહેનતથી કામ કરી રહ્યા છે."
આ નિવેદનમાં 'બલૂચિસ્તાન'ને 'પાકિસ્તાન'થી અલગ જણાવવું એ જ વિવાદનું મુખ્ય કારણ બની ગયું. તે સ્પષ્ટ નથી કે સલમાને ઇરાદાપૂર્વક આવું કર્યું કે આ અજાણતા થયેલી ભૂલ હતી.
જ્યાં પાકિસ્તાન સરકાર આ નિવેદનથી નારાજ છે, ત્યાં બલૂચિસ્તાનની સ્વતંત્રતાની માંગ કરનારા અલગતાવાદી નેતાઓ આના પર ખુશી વ્યક્ત કરી રહ્યા છે. બલૂચિસ્તાનને સ્વતંત્ર દેશ બનાવવાની માંગ કરનારા નેતા મીર યાર બલૂચે સલમાન ખાનનો આભાર માનતા કહ્યું કે, સાઉદી અરેબિયામાં ભારતીય ફિલ્મ જગતના દિગ્ગજ સલમાન ખાન દ્વારા બલૂચિસ્તાનનો ઉલ્લેખ છ કરોડ બલૂચ નાગરિકો માટે ખુશી લઈને આવ્યો છે."
તેમણે આગળ કહ્યું કે સલમાને આવું કરીને સાંસ્કૃતિક માન્યતાના સંકેતો આપ્યા છે જે સૌમ્ય રાજદ્વારીનું શક્તિશાળી માધ્યમ છે, જે લોકોના દિલ જોડે છે અને દુનિયાને બલૂચિસ્તાનને અલગ રાષ્ટ્ર તરીકે માન્યતા આપવા માટે પ્રેરિત કરે છે. આ નિવેદન દર્શાવે છે કે આ વિવાદ ફક્ત એક ફિલ્મ સ્ટારના નિવેદન પૂરતો સીમિત નથી, પરંતુ તેના ઊંડા ભૌગોલિક-રાજકીય અસરો પણ છે.
-
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ -
Petrol Diesel Price: 20 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો












Click it and Unblock the Notifications
