વૈજ્ઞાનિકોને મોટી સફળતા મળી, સૌરમંડળના આ ગ્રહો પર એલિયનની હાજરી પુરાવા મળ્યા
દુનિયાભરના સ્પેસ સાયન્ટિસ્ટો પૃથ્વી બહાર અન્ય ગ્રહો પર એલિયનની હાજરી શોધવા માટે સતત મહેનત કરી રહ્યા છે. હવે વૈજ્ઞાનિકોને મોટી સફળતા મળી છે.
વૈજ્ઞાનિકો એલિયન્સના અસ્તિત્વને શોધી રહ્યા છે ત્યારે એક વૈજ્ઞાનિક વિશ્લેષણમાં કહેવાયુ છે કે, દૂરના ગ્રહોના બે બર્ફીલા ચંદ્ર પર એલિયન જીવન અસ્તિત્વમાં હોઈ શકે છે.

અહેવાલો અનુસાર, વિશિષ્ટ નવા લક્ષણોને કારણે ગુરુ અને શનિના બે ચંદ્રને હવે એલિયન જીવનના સંભવિત સ્થળો તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ગુરુ અને શનિના ચંદ્ર પર એલિયન્સની હાજરી હોઈ શકે છે.
ગુરુના નજીકના ઉપગ્રહ જોવિયન અને શનિના વિશાળ ચંદ્ર ટાઇટન બંનેને લઈને વૈજ્ઞાનિકોને ઘણી એવી સંભાવનાઓ જોવા મળી છે જેથી એમ કહેવાઈ રહ્યું છે કે ત્યાં એલિયન્સની હાજરી હોઈ શકે છે.
મનોઆની હવાઈ યુનિવર્સિટીના નિષ્ણાતો મુજબ, હવે એવું માનવામાં આવે છે કે જોવિયન અને ટાઇટન પર એલિયન જીવન હોઈ શકે છે.
UH માનોઆ સ્કૂલ ઑફ ઓશન એન્ડ અર્થ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ખાતે હવાઈ ઇન્સ્ટિટ્યૂટ ઑફ જીઓફિઝિક્સ એન્ડ પ્લેનેટોલોજીના નવા અભ્યાસના મુખ્ય લેખક લિલિયન બર્ખાર્ડે એક નિવેદનમાં જણાવ્યું છે કે, અમને બર્ફીલા ચંદ્રો પર શીયર ડિફોર્મેશનનો અભ્યાસ કરવામાં રસ છે, કારણ કે આ પ્રકારની ફોલ્ટ લાઇન શીયર હીટિંગ પ્રક્રિયાઓ દ્વારા સપાટી અને પેટાળની સામગ્રીના વિનિમયને સરળ બનાવી શકે છે, જે સંભવિતપણે જીવનના ઉદભવ માટે અનુકૂળ વાતાવરણ તરફ દોરી શકે છે.
એલિયન જીવનની વાત આવે ત્યારે જોવિયન લાંબા સમયથી નિષ્ણાતોની સઘન તપાસનો વિષય છે. 2019 માં જોવિયન જેટ સ્ટ્રીમ પર ફરતું એક રહસ્યમય બ્લેક હોલ નાસાના તેજસ્વી દિમાગને પણ મૂંઝવણમાં મૂકે છે.












Click it and Unblock the Notifications
