શ્રીલંકા બ્લાસ્ટઃ કોલંબોમાં ચર્ચ પાસે થયો વધુ એક ધમાકો, બોમ્બ ડિફ્યુઝ કરતા થયો બ્લાસ્ટ
સોમવારે શ્રીલંકાની રાજધાની કોલંબોમાં એક ચર્ચ પાસે વધુ એક ધમાકો થયો છે.
સોમવારે શ્રીલંકાની રાજધાની કોલંબોમાં એક ચર્ચ પાસે વધુ એક ધમાકો થયો છે. ન્યૂઝ એજન્સી રૉયટર્સ તરફથી આપવામાં આવેલી માહિતી મુજબ આ ધમાકો બોમ્બ ડિફ્યુઝ કરતી વખતે થયો છે. રવિવારે ઈસ્ટરના પ્રસંગે કોલંબો અને બીજી બે જગ્યાએ આઠ સીરિયલ બ્લાસ્ટ્સમાં 290 લોકોના મોત નીપજ્યા છે. આ હુમલામાં 500થી વધુ લોકો ઘાયલ પણ છે. શ્રીલંકાની સરકારનું કહેવુ છે કે આ હુમલાઓને સુસાઈડ બોમ્બર્સ તરફથી અંજામ આપવામાં આવ્યો તેમને વિદેશી મદદ મળી હતી.

રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરીસેનાને જોઈએ મદદ
શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરીસેનાના ઓફિસ સૂત્રો તરફથી જણાવવામાં આવ્યુ છે કે રાષ્ટ્રપતિ બીજા દેશોની મદદ લેશે જેશી સીરિયલ બ્લાસ્ટ્સ પાછળની વિદેશી તાકાતો વિશે જાણી શકાય. આતંકીઓએ શ્રીલંકાના ચર્ચ અને ફાઈવ સ્ટાર હોટલ્સને હુમલાના નિશાન બનાવ્યા હતા. સરકાર તરફથી જાહેર કરાયેલ નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે ઈન્ટેલીજન્સ રિપોર્ટ્સમાં એ વાતની માહિતી મળી છે કે વિદેશ આતંકી સંગઠનોએ સ્થાનિક આતંકીઓની મદદ કરી હતી. એવામાં વિદેશી સરકારોની મદદની જરૂર પડશે.
Reuters: An explosion went off in a van near a church in Colombo, #SriLanka when bomb squad officials were trying to defuse it. pic.twitter.com/eBpIUKk7Pt
— ANI (@ANI) 22 April 2019
આજે અડધી રાતથી લાગશે ઈમરજન્સી
વળી, બીજી તરફ સોમવારે અડધી રાતથી શ્રીલંકામાં રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરીસેનાએ દેશમાં ઈમરજન્સી લગાવવાનું એલાન કર્યુ છે. શ્રીલંકાની સરકારનું માનવુ છે કે હુમલાને એક સ્થાનિક આતંકી સંગઠન જેને નેશનલ તોહીદ જમાત (એનટીજે) ના નામથી ઓળખવામાં આવે છે, તેને અંજામ આપ્યો છે. દેશમાં સોમવારથી ઈમરજન્સી લાગવાનો અર્થ હશે કે પોલિસ અને મિલિટ્રીને વધુ પાવર આપી દેવામાં આવશે. ઈમરજન્સી બાદ સેના અને પોલિસને શંકાસ્પદોની ધરપકડ કરવાની અને તેમની પૂછપરછ કરવા માટે કોર્ટના ઓર્ડર્સની જરૂર નહિ પડે. શ્રીલંકામાં સિવિલ વૉર સમયે આ રીતની ઈમરજન્સી લાગી હતી.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
