શ્રીલંકા બ્લાસ્ટઃ ISISના 3 સુસાઈડ બોમ્બર્સ સર્ચ ઑપરેશનમાં ઠાર, અથડામણમાં 15 શંકસ્પદોના મોત
શ્રીલંકાના સુરક્ષાબળોએ સર્ચ ઑપરેશન દરમિયાન ISISના ત્રણ આત્મઘાતી હુમલાખોરોને ઠાર મારવામાં સફળતા મેળવી છે.
શ્રીલંકાના સુરક્ષાબળોએ સર્ચ ઑપરેશન દરમિયાન ISISના ત્રણ આત્મઘાતી હુમલાખોરોને ઠાર મારવામાં સફળતા મેળવી છે. જો કે એનકાઉન્ટરમાં 15 લોકોના મોત નીપજ્યા છે જેમાં છ બાળકો પણ શામેલ છે. તેમના મૃતદેહ પોલિસને મળી ગયા છે. આખી રાત આતંકીઓ અને જવાનો વચ્ચે ગોળીબાર થતો રહ્યો. સેનાના પ્રવકતા તરફથી શનિવારે આની માહિતી આપવામાં આવી. આ આતંકીઓને એ વખતે ઠાર મરાયા જ્યારે 21 એપ્રિલે થયેલા કોલંબો બ્લાસ્ટના અનુસંધાનમાં સર્ચ ઑપરેશન ચાલી રહ્યુ હતુ. શ્રીલંકાની ઑથોરિટીઝે ગુરુવારે થયેલા સુસાઈડ બ્લાસ્ટમાં 252 લોકો માર્યા ગયાની પુષ્ટિ કરી હતી.

સર્ચ ઑપરેશન દરમિયાન અચાનક બ્લાસ્ટ
શુક્રવારે સાંજે શ્રીલંકાના બાટ્ટીકાલાઓથી લઈને સેંતામારુતુના અમારામાં સેના અને ISI આતંકીઓ વચ્ચે એનકાઉન્ટર શરૂ થયુ હતુ. ઈસ્ટરના પ્રસંગે એક હુમલો બાટ્ટીકાલાઓમાં પણ થયો હતો. પોલિસ પ્રવકતા તરફથી જણાવવામાં આવ્યુ છે કે જે 15 લોકો માર્યા ગયા છે તેમાં ત્રણ શંકાસ્પદ બોમ્બર્સ પણ છે. શ્રીલંકન મિલિટ્રીના પ્રવકતા સુમિત અટ્ટાપટ્ટુ તરફથી જણાવવામાં આવ્યુ છે કે જવાન કાલમુનાઈ સ્થિત એક ઘરમાં સર્ચ ઑપરેશન માટે દાખલ થવાની કોશિશ કરી રહ્યા હતા. અહીં ત્રણ ધમાકા થયા અને પછી એનકાઉન્ટર શરૂ થઈ ગયુ. અટ્ટાપટ્ટુતરફથી કહેવામાં આવ્યુ છે કે જવાનોએ એક સુરક્ષિત ઘરનું સર્ચ કર્યુ જ્યાંથી ભારે માત્રામાં વિસ્ફોટક મળી આવ્યો છે. તેમણે કહ્યુ કે માર્યા ગયેલા આતંકી નેશનલ તોહીદ જમાત (એનજેટી)ના સભ્ય હતા.
સીરિયા અને ઈજિપ્તના લોકો પણ કસ્ટડીમાં
સરકાર તરફથી કહેવામાં આવ્યુ છે કે શ્રીલંકાના નવ સુસાઈડ બોમ્બર્સ કે જે ઘણા ભણેલા-ગણેલા હતા અને સારા ઘરોમાંથી આવતા હતા તેમણે ઈસ્ટરના પ્રસંગે થયેલા હુમલાને અંજામ આપ્યો છે. આમાંથી આઠની ઓળખ થઈ ચૂકી છે જેમાંથી એક મહિલા પણ શામેલ છે. પોલિસ તરફથી શુક્રવારે જણાવવામાં આવ્યુ હતુ કે 140 લોકોની તપાસ થઈ રહી છે જેમના ISIS સાથે સંબંધ છે. પોલિસે 76 લોકોને અત્યાર સુધીમાં કસ્ટડીમાં લીધા છે જેમાં સીરિયા અને ઈજિપ્તથી આવેલા વિદેશી પણ શામેલ છે. શ્રીલંકામાં હાલમાં આખી રાત સર્ચ ઑપરેશન દેશના અલગ અલગ ભાગોમાં ચાલી રહ્યુ છે. શ્રીલંકાની રાજધાની કોલંબોમાં 21 એપ્રિલના રોજ ઈસ્ટર સન્ડેના પ્રસંગે આઠ સીરિયલ બ્લાસ્ટ થયા હતા. કોલંબોની ત્રણ લક્ઝરી હોટલ્સ અને ત્રણ ચર્ચોને આતંકીઓએ નિશાન બનાવ્યા હતા. આ હુમલાની જવાબદારી મંગળવારે ISIS એ લીધી.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
