મોદી-નવાઝ વચ્ચે નક્કાર વાતની શરૂઆત : સરતાજ અઝીઝ
ઇસ્લામાબાદ, 28 મે : પાકિસ્તાને જણાવ્યું છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ વચ્ચે થયેલી બેઠકમાં દરેક મુદ્દે નક્કર વાતચીત કરવામાં આવી હતી. બુધવારે આ અંગેની માહિતી એક પ્રેસ કોન્ફરન્સમાં આપતા નવાઝ શરીફના સલાહકાર સરતાજ અઝીઝે જણાવ્યું કે બંને દેશો વચ્ચેની વાતચીત સકારાત્મક રહી છે અને જેટલી આશા હતી, તેનાથી વધારે સારી વાતચીત થઇ છે.
સરતાજે જણાવ્યું કે મોદી અને શરીફ વચ્ચે શાંતિથી ચર્ચા યોજાઇ હતી. આ મુલાકાત માત્ર ફોટો ખેંચવા પૂરતી ન હતી. તેમણે જણાવ્યું કે નરેન્દ્ર મોદી અને નવાઝ શરીફ વચ્ચે એકાંતમાં પણ વાતચીત થઇ. તેમણે આ મુદ્દે મોદી સરકારની તારીફ કરી છે.
તેમણે જણાવ્યું કે ભારત અને પાકિસ્તાન સાથે મળીને આતંકવાદ સામે લડવા તૈયાર છે. તેમણે જણાવ્યું કે લાહોર સમજુતિ અંતર્ગત કાશ્મીર પર બંને દેશો વચ્ચે વાતચીત થશે. સરતાજે સ્પષ્ટ જણાવ્યું કે બંને દેશો વચ્ચે વાતચીતનો એજન્ડા માત્ર કાશ્મીર ન હતો. પરંતુ કાશ્મીર પર હુર્રિયતની અવગણના કરી શકાય તેમ નથી.

આ પહેલાના ઘટનાક્રમમાં આજે જ ભારતના વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે પોતાનો કાર્યભાર સંભાળી લીધા બાદ યોજેલી પ્રથમ પ્રેસ કોન્ફરન્સમા જણાવ્યું કે અમે સમગ્ર દુનિયા સાથે સારા સંબંધો જાળવવા માંગીએ છીએ. આ પહેલા અમે સાર્ક દેશો સાથે વાતચીત કરી છે. સુષ્માએ ભારત અને પાકિસ્તાન માટે જણાવ્યું કે બંને દેશોના વડાપ્રધાન વચ્ચે વાતચીત સફળ થઇ છે. અમે ઇચ્છીએ છીએ કે પાકિસ્તાન સાથે સારા સંબંધો રહે.
મંગળવારે નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ વચ્ચે પણ બેઠક યોજીઇ હતી. હૈદરાબાદ હાઉસ પહોંચેલા નવાઝ શરીફનું ભાવપૂર્વક સ્વાગત કરાયા બાદ બંને નેતાઓ ઉત્સાહભેર મળ્યા હતા. આ બેઠક અંદાજે 50 મીનિટ ચાલી હતી. આ બેઠકમાં નરેન્દ્ર મોદીની સાથે વિદેશ મંત્રી બનેલા સુષ્મા સ્વરાજ પણ જોડાયા હતા.
અડધા કલાકથી પણ વધારે સમય માટે યોજાયેલી બેઠકમાં બંને દેશોના પારસ્પરિક સંબંધોને વધારે મજબૂત બનાવવા અંગે વાત થઇ હતી. આ ઉપરાંત પાછલા સપ્તાહે હેરાતમાં ભારતીય દૂતાવાસ પર થયેલા હુમલા અંગે પણ વાત કરવામાં આવી હતી. આ બેઠકના મુખ્ય મુદ્દાઓ આ મુજબ હતા...
1. આતંકવાદી હુમલાઓનો અંત આવવો જોઇએ
2. 26/11ની ટ્રાયલ અસંતોષકારી અને ધીમી છે
3. 26/11ના મુખ્ય માસ્ટર માઇન્ડસ સામે પગલાં શા માટે નહીં?
4. આતંકવાદ મુદ્દે પ્રાદેશિક સહયોગ વધારવામાં આવે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
