ઇન્ડોનેશિયા ચર્ચ એટેક: પોલીસ અનુસાર 6 લોકોની મૌત, ઘણા ઘાયલ
ઇન્ડોનેશિયામાં ત્રણ ચર્ચ સામે આત્મઘાતી હુમલા વિશે ખબર સામે આવી છે. આ આત્મઘાતી હુમલામાં 6 લોકોના મરવાની ખબર છે.
ઇન્ડોનેશિયામાં ત્રણ ચર્ચ સામે આત્મઘાતી હુમલા વિશે ખબર સામે આવી છે. આ આત્મઘાતી હુમલામાં 6 લોકોના મરવાની ખબર છે. જયારે ત્રણ લોકો તેમના ઘાયલ થયા છે. આ ઘટના પૂર્વી જાવાના સુરબાયા માં થયી હતી. જેના પછી જગ્યા પર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. હજુ સુધી આ વાતની પુષ્ટિ નથી થઇ કે આખરે કયા આતંકી સંગઠન ઘ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો.
મળતી જાણકારી અનુસાર આ ધમાકો ઇન્ડોનેશિયામાં સુરબાયા, ફેસ બરુન મેગરા, ઈસ્ટ જાવા પાસે થયો. ઇન્ડોનેશિયા મેટ્રો ટીવી ઘ્વારા આ મામલે જાણકારી આપતા જણાવવામાં આવ્યું કે એક ધમાકો કેથોલિક ચર્ચ સેન્ટ મારિયાની બહાર થયો. જયારે બીજો ધમાકો પેટકોસ્ટલ ચર્ચ બહાર થયો. સેન્ટ મારિયામાં ધમાકો સ્થાનીય સમય અનુસાર સવારે 7.30 વાગ્યે થયો. પોલીસ પ્રવક્તા ઘ્વારા જણાવવામાં આવ્યું કે અમને આ વાતની શંકા છે કે આ એક આત્મઘાતી હુમલો છે. અમે એક પીડિતની ઓળખ પણ કરી લીધી છે.
પોલીસ અનુસાર એક આરોપીની બૉમ્બ ધમાકા દરમિયાન જગ્યા પર જ મૌત થઇ ગયી. જયારે બીજા આરોપીની હોસ્પિટલમાં મૌત થઇ ગયી. તેને સાથે સાથે આ ધમાકામાં બે પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે. જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે હાલમાં આખા વિસ્તારને બંધ કરી દીધો છે.