થાઇલેન્ડ: ચાઇલ્ડ સેન્ટરમાં પૂર્વ પોલીસ અધિકારીએ કર્યો અંધાધુધ ગોળીબાર, 34 લોકોના મોત
થાઈલેન્ડમાં ચાઈલ્ડ કેર સેન્ટરમાં અંધાધુધ ગોળીબાર કરવામાં આવ્યો છે. આ ગોળીબારમાં 34 જેટલા લોકોના મોત થયા છે. ઉલ્લેખનિય છેકે આ હુમલાનો ભોગ બનેલા મોટાભાગના બાળકો છે. પોલીસ પ્રવક્તાના જણાવ્યા અનુસાર આ હુમલો દેશના પૂર્વોત્તર
થાઈલેન્ડમાં ચાઈલ્ડ કેર સેન્ટરમાં અંધાધુધ ગોળીબાર કરવામાં આવ્યો છે. આ ગોળીબારમાં 34 જેટલા લોકોના મોત થયા છે. ઉલ્લેખનિય છેકે આ હુમલાનો ભોગ બનેલા મોટાભાગના બાળકો છે. પોલીસ પ્રવક્તાના જણાવ્યા અનુસાર આ હુમલો દેશના પૂર્વોત્તર વિસ્તારમાં થયો હતો. આ ભીષણ ગોળીબાર બંદૂકધારી હુમલાખોરે કર્યો હતો, જે પોતે ભૂતપૂર્વ પોલીસ અધિકારી છે અને આ ઘટનાને અંજામ આપ્યા બાદ તેણે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. ગોળીબારનુ કારણ હજુ સુધી જાણી શકાયુ નથી.

એક અહેવાલ મુજબ પોલીસે જણાવ્યું હતું કે પીડિતોમાં 22 બાળકો અને પુખ્ત વયના લોકો પણ સામેલ છે. મીડિયા અહેવાલ મુજબ 34 લોકોની હત્યા કર્યા પછી આરોપી ભૂતપૂર્વ પોલીસ અધિકારીએ તેની પત્ની અને બાળકોની પણ ગોળી મારીને હત્યા કરી અને પછી પોતાને પણ ગોળી મારી દીધી હતી. અગાઉ, પોલીસે અહેવાલ આપ્યો હતો કે ભૂતપૂર્વ પોલીસ અધિકારી આ ઘટનાને અંજામ આપ્યા પછી બેંગકોક લાઇસન્સ પ્લેટ સાથે સફેદ પીકઅપ વાનમાં ભાગી ગયો હતો. વાહનનો નંબર જાહેર કરતી વખતે પોલીસે 192 નંબર પર ફોન કરી માહિતિ આપવા જણાવ્યુ હતુ. સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વડા પ્રધાન પ્રયુત ચાન ઓચાએ તમામ એજન્સીઓને તાત્કાલિક પગલાં લેવા અને ગુનેગારને પકડવા માટે એલર્ટ કરી છે.
ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર થાઈલેન્ડમાં લાયસન્સવાળી બંદૂકોની સંખ્યા અન્ય દેશોની સરખામણીએ વધુ છે. જો કે, લોકોમાં ગેરકાયદેસર હથિયાર રાખવાની પ્રથા ન હોવાને કારણે આ પ્રકારનું માસ શૂટિંગ ભાગ્યે જ જોવા મળે છે. આવી જ ઘટના વર્ષ 2020 માં બની હતી જ્યારે પ્રોપર્ટી ડીલર પર ગુસ્સે થયેલા એક સૈનિકે ગોળીબાર કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા 29 લોકો માર્યા ગયા હતા અને 57 લોકો ઘાયલ થયા હતા.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ










Click it and Unblock the Notifications
