તાલિબાન કાશ્મીરી મુસલમાનોનો અવાજ બનશે, ભારત વિરુદ્ધ ઝેર ઓકવાનું શરૂ કર્યું
તાલિબાને જણાવ્યું છે કે, તેમને કાશ્મીરી મુસ્લિમો માટે અવાજ ઉઠાવવાનો અધિકાર છે. ભારતે હંમેશા તાલિબાન તરફથી વાંધો ઉઠાવ્યો છે, તાલિબાને ભારત સામે પણ આવી જ યુક્તિ રમવાનો પ્રયાસ કર્યો છે.
કાબુલ : આજે અફઘાનિસ્તાનમાં સરકાર બનાવવા જઈ રહેલા તાલિબાનોએ ભારત વિરુદ્ધ પ્રચાર શરૂ કર્યો છે. તાલિબાને જણાવ્યું છે કે, તેમને કાશ્મીરી મુસ્લિમો માટે અવાજ ઉઠાવવાનો અધિકાર છે. ભારતે હંમેશા તાલિબાન તરફથી વાંધો ઉઠાવ્યો છે, તાલિબાને ભારત સામે પણ આવી જ યુક્તિ રમવાનો પ્રયાસ કર્યો છે. જો કે, આ અગાઉ તાલિબાન કાશ્મીરમાં દખલગીરીનો સતત ઈન્કાર કરી રહ્યો હતો, પરંતુ હવે જ્યારે તાલિબાન સરકાર બનવા જઈ રહી છે, ત્યારે તેમણે કાશ્મીર વિશે ઝેરી નિવેદન આપ્યું છે.
તાલિબાનનો ઝેરી પ્રચાર
તાલિબાને જણાવ્યું છે કે, તેને કાશ્મીર સહિત સમગ્ર વિશ્વમાં મુસ્લિમો માટે અવાજ ઉઠાવવાનો અધિકાર છે. નવી દિલ્હી હંમેશાથી ચિંતિત છે કે, અફઘાનિસ્તાનના પ્રદેશનોઉપયોગ ઈસ્લામિક કટ્ટરવાદી જૂથો ભારત વિરોધી પ્રવૃત્તિઓ માટે કરી શકે છે. તાલિબાનના ઝેરી નિવેદન બાદ તાલિબાન તેમાં કોઈ શંકા નથી. પાકિસ્તાનના જિયોન્યૂઝ અનુસાર તાલિબાનના પ્રવક્તા સુહેલ શાહીને કહ્યું કે, મુસ્લિમ તરીકે અમને કાશ્મીર, ભારત અને અન્ય કોઈ પણ દેશમાં મુસ્લિમો માટે અવાજ ઉઠાવવાનો અધિકારછે.
અમે અમારો અવાજ બુલંદ કરીશું અને કહીશું કે મુસ્લિમો તમારા પોતાના નાગરિકો છો અને તેમને તમારા કાયદા હેઠળ અધિકારો માટેના સમાન હકદાર છે.
તાલિબાન હથિયારો ઉપાડશે નહીં
તાલિબાનના પ્રવક્તા સુહેલ શાહીને એમ પણ કહ્યું હતું કે, તાલિબાન પાસે કોઈપણ દેશ સામે હથિયાર ઉપાડવાની નીતિ નથી. શાહીનની ટિપ્પણી કાશ્મીર પરતાલિબાનના અગાઉના નિવેદનોથી તદ્દન વિપરીત છે, કાબુલ પર નિયંત્રણ મેળવ્યાના થોડા દિવસો બાદ તાલિબાને કહ્યું કે, કાશ્મીર "દ્વિપક્ષીય અને આંતરિક બાબત"છે. અફઘાનિસ્તાન એ સુનિશ્ચિત કરવાનું છે કે, અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ ભારત વિરુદ્ધ આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ન થાય. તાલિબાનને કોઈપણ સંભવિતમાન્યતા વિશે વાત કરવી "ઉતાવળ" છે.
ભારત તાલિબાનથી ચિંતિત છે
તાલિબાન સાથે ભારતની વાતચીત અંગે ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, "અમારું ધ્યાન એ તરફ નથી. અમારું ધ્યાન એ બાબત પર છે કે, અફઘાનિસ્તાનની ભૂમિનો ઉપયોગ ભારત વિરોધી પ્રવૃત્તિઓ અને કોઈપણ પ્રકારના આતંકવાદ માટે ન થવો જોઈએ.
આ અગાઉ કતારમાં ભારતીય રાજદૂત દીપક મિત્તલે મંગળવારના રોજ વરિષ્ઠ તાલિબાન નેતા શેર મોહમ્મદ અબ્બાસ સ્ટેંકઝાઈને મળ્યા હતા અને તાલિબાન નેતાને ભારતની ચિંતા જણાવી હતી કે, અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ ભારત વિરોધી પ્રવૃત્તિઓ અને આતંકવાદ માટે થવો જોઈએ નહીં.
ભારતની ચિંતા
ભારતને ચિંતા છે કે, સુન્ની અને વહાબી આતંકવાદી જૂથો તાલિબાનને સ્વર્ગમાં ફેરવી દેશે અને અફઘાનિસ્તાન ઇસ્લામિક આતંકવાદનું કેન્દ્ર બની શકે છે. તાલિબાન સત્તાપર આવ્યા બાદ ભારત જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થાને મોટા પ્રમાણમાં કડક કરી શકે છે. આ મામલાથી પરિચિત લોકોએ ગયા મહિને ANIને કહ્યું હતું કે,
"કાશ્મીરમાં સુરક્ષાની તકેદારી વધારવામાં આવશે, પરંતુ પરિસ્થિતિ હજૂ પણ સંપૂર્ણ નિયંત્રણમાં છે અને અફઘાનિસ્તાનમાં પાકિસ્તાન સ્થિત આતંકી જૂથો પાસેકાશ્મીરમાં કાવતરું કરવાની ક્ષમતા ઓછી છે."
તાલિબાને પાકિસ્તાનને શું વચન આપ્યું?
ઉલ્લેખનીય છે કે, ગત મહિને પાકિસ્તાનના શાસક પક્ષ પાકિસ્તાન તહરીક એ ઈન્સાફ (PTI) ની એક મહિલા નેતાએ કહ્યું હતું કે, તાલિબાન પાકિસ્તાનને કાશ્મીરનેભારતમાંથી 'આઝાદ' કરવામાં મદદ કરશે. પીટીઆઈ નેતા નીલમ ઈર્શાદ શેખે એક ટેલિવિઝન ન્યૂઝ ડિબેટ દરમિયાન કહ્યું કે, "તાલિબાનોએ કહ્યું છે કે તેઓ અમારીસાથે છે અને તેમને કાશ્મીરને આઝાદ કરવામાં અમારી મદદ કરશે." આ પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું હતું કે, અફઘાન લોકોએ "ગુલામીનીબેડીઓ તોડી નાખી છે".